ગુજરાતની દિવાળી વાદળછાયી દિવાળી છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવી ગયો છે. આકાશ ગોરંભાયેલુ છે અને ક્યાંક ક્યાંક હજુ પણ વરસાદ પડી રહ્યો છે તો વળી હવામાન વિભાગના કહેવા મુજબ હજુ ક્યાર નામનું ચક્રાવાત ગુજરાતના માથેથી ટળ્યુ નથી. દ. ગુજરાત, કચ્છ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, કંડલા, ભાવનગર, સુરેન્દ્ર નગર, જામનગર, વગેરે વિસ્તારોમાં વરસાદ ચાલુ છે તો હજુ ઉ. ગુજરાતમાં પણ વરસાદ પહોંચી શકે છે.
ક્યાર વાવાઝોડાની અસરને લઇ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં દિવાળી ટાણે જ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
અમદાવાદમાં પણ 2 દિવસ રહેશે વાદળછાયુ વાતાવરણ
અમદાદાવાદમાં હજુ બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે. સુરેન્દ્રનગરના વાતાવણમાં એકાએક પલટો આવ્યો છે. વઢવાણ શહેરી વિસ્તારના વાતાવણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. લીંબડી, ચુડા સહિતના ગામમાં વરસાદી ઝાપટા પડ્યા છે.. કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજકોટના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે.. વહેલી સવારથી શહેરમાં ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે.. ઠંડા પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા છે
સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી
બે દિવસ સુધી વરસાદનું સંકટ ગુજરાતમાં યથાવત છે. સૌરાષ્ટ્ર-દ.ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. અરબી સમુદ્રમાં 120થી 130 કિમીની ઝડપે પવન ફૂકંઇ રહ્યો છે.
ક્યાર વાવાઝોડુ શું છે.
મહારાષ્ટ્રમાં રત્નાગીરીથી 300 કિલોમીટર દૂર ‘ક્યાર’ વાવાઝોડું સર્જાયું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘ક્યાર’થી વાતાવરણમાં પલટો આવ્યો છે.
વાવાઝોડું 6 કલાકે 12 કિ.મીનું અંતર કાપે છે
વાવાઝોડું પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 6 કલાકે 12 કિ.મીનું અંતર કાપી રહ્યું છે. ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.