રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન થયું છે. આ અંગે રાજ્ય સરકારે પત્રકાર પરિષદ યોજીને ખેડૂતોને રાહત કેવી રીતે મળશે તેની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પાક નુકસાન થયેલા ખેડુતો 72 કલાકમાં નોંધણી કરાવી પડશે. આ અંગે વીમા કંપનીના ટ્રોલ ફ્રી નંબર પણ જાહેર કર્યા હતા અને કેટલા દિવસમાં કેવી રીતે નોંધણી કરવામાં આવશે તે અંગે પણ વિગતે જણાવ્યુ હતુ.
પાક નુકસાન થયેલા ખેડુતો 72 કલાકમાં નોંધણી કરાવી પડશે
વીમા કંપનીના ટ્રોલ ફ્રી નંબર નોંધાણી કરાવવી પડશે
કૃષિ વિભાગ દ્વારા તમામ વીમા કંપનીના ટોલ ફ્રી નંબર જાહેર કરવામા આવ્યા
ગાંધીનગરમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે CM રૂપાણી અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં પાકને થયેલ નુકસાન અંગે સમીક્ષા કરાઇ હતી. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર હાજર રહ્યાં હતા. વધુ નુકસાનવાળા વિસ્તારો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કૃષિ વિભાગના ACS પૂનમચંદ પરમારે પત્રકાર પરિષદમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન અંગે માહિતી આપી હતી. નુકસાન થયેલા ખેડૂતે 72 કલાકમાં નોંધણી કરાવવી પડશે. વીમા કંપનીના ટોલ ફ્રી નંબર પર નોંધણી કરાવવી પડશે. 72 કલાકમાં નોંધણી નહીં કરાવે તો સહાય નહીં મળે.
કૃષિ વિભાગે વીમા કંપનીના ટોલ ફ્રી નંબર જાહેર કર્યા
રિલાયન્સ જનરલ - 1800 300 24088
યુનિવર્સલ સોમ્પો જનરલ - 1800 200 5142
ભારતી એક્સા જનરલ - 1800 103 7712
એગ્રિકલ્ચર ઈન્યોરન્સ કંપની - 1800 116 515
કેટલુ ચુકવાશે વળતર
ખેડૂતો માટે 150 કરોડ રૂપિયાની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. પિયત વાળી ખેતીમાં 13500 રૂપિયાનું વળતર ચુકવાશે જ્યારે બિનપિયત વાળી ખેતીમાં 6500 રૂપિયાનું વળતર ચુકવવામાં આવશે. SDRFના ધારા ધોરણ મુજબ વીમો ન લીધેલા ખેડુતોને રકમ ચુકવાશે. વીમો નથી ઉતાર્યો તે ખેડુતો પણ નુકસાનની ભરપાઇ કરાશે. ખેડૂતે 72 કલાકમાં આ અંગેની ફરિયાદ અરજી કરવાની હશે.
ખેડૂતની ફરિયાદના 10 દિવસ બાદમાં સર્વે થશે
કૃષિ વિભાગના અધિકારી પાક નુકસાન અંગે સર્વે કરશે. પાકની નુકસાની અંગેની ફરિયાદ 10 દિવસમા સર્વે કરાશે. સર્વે થયાના 10 દિવસમાં નુકસાનના પૈસા ચુકવાશે. અગાઉના ત્રણ તબક્કાના નુકસાનની સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ત્રણ તબક્કામાં નુકસાનની ચૂકવણી સરકાર 10 દિવસમાં કરશે.
આ અંગે યોજાએલી પત્રકાર પરિષદમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમાર હાજર રહ્યાં હતા સાથે સાથે રાહત કમિશનર, કૃષિ વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.