વાવાઝોડા નિસર્ગ અસરને લઈને ઉર્જા વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડાની અસર થાય તો વીજળી ન ખોરવાય તે માટેની વ્યવસ્થા કરાઈ છે. આ મામલે સૌરભ પટેલ પ્રતિક્રિયા આપી છે કે, ઉર્જા વિભાગ દ્વારા તમામ કંપનીઓમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. તમામ કંટ્રોલ રૂમમાં નોડલ ઓફિસરની નિમણૂંક કરાઈ છે. ઉર્જા વિભાગ દ્વારા પ્રાધાન્ય હોસ્પિટલ, સરકારી કચેરી, CHC, PHCમાં વિજળી ન ખોરવાય તેવી તૈયારીઓ કરાઈ છે.
વાવાઝોડાની અસરને લઈને તંત્ર એલર્ટ
વીજળી ન ખોરવાય તેવી વ્યવસ્થા કરાઈ
104 સબડિવિઝનમાં કર્મચારીઓ તૈયાર
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, વાવાઝોડાની અસરને લઈને ઉર્જા મંત્રી સૌરભ પટેલનુ નિવેદન આવ્યું છે. વીજળી ખોરવાઈ નહી તેવી વ્યવસ્થા કરી છે. 683 કોન્ટ્રાક્ટરો જરૂર પડે ત્યા પહોચી જશે. 104 સબ ડિવિઝનમાંથી કર્મચારીઓ તૈયાર હશે. વાવાઝોડુ આવશે તો ઉર્જા વિભાગની તમામ તૈયારી રેડી છે.
વાવાઝોડું ગુજરાતમાં નહીં ટકરાય
ગુજરાત પરથી વાવાઝોડાનુ સંકટ ટળ્યું છે. વાવાઝોડું ગુજરાતમાં નહીં ટકરાય. વાવાઝોડું મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે. જો કે વાવાઝોડાના કારણે તાપી, ડાંગ અને નર્મદામાં વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યના તમામ પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. આ ઉપરાંત સુરતના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ રહેશે. જેને લઇ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
શું કહે છે જયંત સરકાર?
ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે. નિસર્ગ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે નહી ટકરાય તેવું હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યુ છે. જયંત સરકારે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, નિસર્ગ વોવાઝોડું ગુજરાતના દરિયા કિનારે નહિ ટકરાય. હાલમાં વાવાઝોડું સુરતથી 670 કિમી, પણજીથી 280 કિમી, મુંબઈથી 450 કિમી દૂર છે. આગામી 6 કલાકમાં સાયક્લોન તૈયાર થશે. 12 કલાકમાં સિરિયસ સાયક્લોન તૈયાર થશે. બુધવારે બપોરે રાયગઢ અને દમણ વચ્ચેથી વાવાઝોડું પસાર થશે. દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાની અસર જોવા મળશે. 3 જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગ સુરતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. જ્યારે 4 જૂને તાપી, ડાંગ, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.