ગુજરાતમાં હીકા વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અરબ સાગરના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં લો પ્રેશર યથાવત્ છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે 1 જૂને લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 2 જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈને આગળ વધશે. વાવાઝોડાએ ઝડપ પકડતા 4 જૂને થનારી અસર 3 જૂને થશે. હાલ અરબ સાગરમાં 'હીકા' વાવાઝોડાએ દિશા બદલી છે. સૌરાષ્ટ્રના બદલે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકી શકે છે. જેની મહારાષ્ટ્રના દરિયા કિનારાને પણ વાવાઝોડાની અસર થઈ શકે છે.
હીકા વાવાઝોડુ 4 અથવા 5 જૂને ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા
સૌરાષ્ટ્રના બદલે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકી શકે છે
અરબ સાગરમાં 'હીકા' વાવાઝોડાએ દિશા બદલી
ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અરબ સાગરના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં લો પ્રેશર યથાવત્ છે. ત્યારે હવામાન વિભાગે જણાવ્યું કે 1 જૂને લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 2 જૂને ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઈને આગળ વધશે. વાવાઝોડાએ ઝડપ પકડતા 4 જૂને થનારી અસર 3 જૂને થશે. હાલ અરબ સાગરમાં 'હીકા' વાવાઝોડાએ દિશા બદલી છે. સૌરાષ્ટ્રના બદલે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ત્રાટકી શકે છે. જેની મહારાષ્ટ્રના દરિયા કિનારાને પણ વાવાઝોડાની અસર થઈ શકે છે.
હીકા વાવાઝોડુ 4 અથવા 5 જૂને ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે. હીકા વાવાઝોડુ દ્વારકા, ઓખા, મોરબીના દરિયાઈ કાંઠે ટકરાવાની સંભાવના છે. ત્યારે હવે એવી પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે કે આ વાવાઝોડું સુરત તરફ વળી શકે છે. સુરતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આગામી 3 અને 4 જુનના રોજ દક્ષિણ ગુજરાત પર વાવાઝોડું ત્રાટકી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઇને હવે દ.ગુજરાતના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.
હવામાન વિભાગે જણાવ્યા મુજબ ચક્રવાત ઓમાન-મસ્કત પાસે કેન્દ્રીત છે, પરંતુ 3-4 દિવસમાં તે ગુજરાત તરફ ઝડપી આગળ વધશે. હીકા વાવાઝોડુ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાઈ કાંઠે ટકરાય તેવી શક્યતા છે. હીકા વાવાઝોડું જો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાય તો પોરબંદર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, કચ્છના દરિયાકાંઠે અસર જોવા મળી શકે છે.
દક્ષિણપૂર્વ નજીક પૂર્વમધ્ય અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયુ છે. 48 કલાકમાં લો પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. 48 કલાક બાદ વાવાઝોડું મજબૂત બનીને ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. વાવાઝોડાના કારણે આગામી 48 કલાકમાં ગુજરાત પર હવાનું હળવુ દબાણ બનશે. દરિયાકાંઠાના તમામ જિલ્લાઓમાં એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
10 જિલ્લાના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ
'હીકા' વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાતના દરિયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના સમુદ્ર તટના વિસ્તારમાં એક નંબરના સિગ્નલ આપી દેવાયા છે. 10 જિલ્લાના દરિયાકાંઠે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, માંગરોળ, દીવ, ગીર સોમનાથ, કચ્છ, મોરબી, ભાવનગર અને વલસાડમાં પણ 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. 4 અથવા 5 જૂને 'હીકા' વાવાઝોડું ત્રાટકી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે. હાલ ગીર સોમનાથના દરિયા કિનારે 8 હજાર બોટ લંગારવામાં આવી છે.