બંગાળની ખાડી પર રચાયેલું વાવાઝોડું ગાજા ચેન્નઈથી લગભગ 470 કિલોમીટરના અંતરે દક્ષિણ-પૂર્વમાં હતું અને ગુરુવારે કુડ્ડલૂર તથા પમ્બાનની વચ્ચેના સમુદ્રીતટ પર ટકરાય તેવી શક્યતા છે. તેને કારણે તમિલનાડુમાં ભારે વરસાદની પણ આશંકા છે. ગાજા વાવાઝોડાંના ખતરાને જોતા ભારતીય નૌસેનાને બધુવારે જ હાઈએલર્ટ કરી દેવામાં આવી છે. નૌસૈન્ય અધિકારીઓએ જણાવ્યુ છે કે ઈસ્ટર્ન નેવલ કમાન્ડે જરૂરી માનવીય મદદ ઉપલબ્ધ કરાવવા માટે ઉચ્ચસ્તરીય તૈયારીઓ કરી છે.
Tamil Nadu: Latest visuals from Silver Beach in Cuddalore. #GajaCyclone is likely to make landfall between Pamban and Cuddalore today afternoon. pic.twitter.com/ME9UA1k3Cr
વાવાઝોડું ગુરુવારે સાંજે બંને રાજ્યોના તટવર્તી પ્રદેશોને પાર કરે તેવી શક્યતા છે. નૌસૈન્ય અધિકારીએ કહ્યુ છે કે બે ભારતીય નૌસૈન્ય જહાજો રણવીર અને ખંજર માનવીય સહાયતા તથા સંકટ રાહત માટે સૌથી વધારે પ્રભાવિત ક્ષેત્રોમાં આગળ વધવા માટે તેનાત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ છે કે તેમણે આ જહાજોમાં વધુ મરજીવાઓ તબીબો હવાવાળી રબરની બોટ્સ હેલિકોપ્ટર અને રાહત સામગ્રીઓને તૈયાર રાખી છે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે ગાજા ગુરુવારે સાંજે અથવા રાત્રે પમ્બાન અને કુડ્ડલૂરની વચ્ચેના તટવર્તી વિસ્તારોને પાર કરે તેવી શક્યતા છે. આ સમયગાળામાં એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની પણ સંભાવના છે. તમિલનાડુ સરકાર પહેલા જ ત્રીસ હજાર પાંચસો જેટલા બચાવકર્મીઓની તેનાતી કરવાની ઘોષણા કરી ચુકી છે.
ગાજા વાવાઝોડાના ખતરાને જોતા તંજૌર તિરુવરુર પુડુકોટ્ટઈ નાગપટ્ટિનમ કુડ્ડલૂર અને રામનાથપુરમના કલેક્ટરો દ્વારા ગુરુવારે શાળા અને કોલેજોમાં રજાની ઘોષણા કરી છે. વાવાઝોડાના ત્રાટકવાની સંભાવનાને જોતા પુડ્ડુચેરી અને કરાઈકલ વિસ્તારોમાં પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી છે. કેન્દ્રીય વોટર કમિશને બંધો પર સતત નજર રાખવાની સલાહ આપી છે અને આ પૃષ્ઠભૂમિમાં તમિલનાડુના મહેસૂલ પ્રધાન આર. બી. ઉદયકુમારે ક્હ્યુ છે કે બંધ સરાવોર અને નદીઓ પર સતત નજર રખાઈ રહી છે.
કમિશને સ્ટાન્ડર્ડ સંચાલન પ્રક્રિયા મુજબ કાર્યવાહીની સલાહ આપી હતી કારણ કે તટબંધવાળા વિસ્તારોમાં ભારે વરસાદ બંધોને ચોવીસ કલાકથી ઓછા સમયમાં પાણીથી છલોછલ કરે તેવી શક્યતા છે. સરકારે ઓઈલ રિફાયનરીઓ સાથે પણ વાતચીત કરી છે અને તેમને ઈંધણનો પુરતો ભંડાર રાખવાની પણ તૈયારી કરાઈ છે.