ભીષણ ચક્રવાતી તોફાન ફનીએ હવે ભયંકર રૂપ ધારણ કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા ભારતના પૂર્વ દરિયા કાંઠાની તરફ આગળ વધી રહેલા ચક્રવાતી તોફાન ફની 3 મે ના રોજ દક્ષિણમાં ગોપાલપુર અને ચાંદબાલીની વચ્ચે ઓડિશા કિનારા પર દસ્તક આપે એવી શક્યતા છે.
બંગાળની ખાડીમાં બનેલ ચક્રવાતી તોફાન 'ફની'ની અસર દેખાવાની શરૂ થઇ ગઇ છે. 'ફની'ને ધ્યાને રાખતા આંધ્રપ્રદેશમાં ખૂબ તેજીથી વરસાદ થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ફની પર હાઇ લેવલની મીટિંગ ગોઠવી છે. પીએમ મોદીએ કેબિનેટ સચિવ, પ્રધાન સચિવ, અતિરિક્ત પ્રધાન સચિવ, ગૃહ સચિવ અને આઇએમડી, એનડીઆરએફ, એનડીએમએ અને પીએમઓ આદિનાં વરિષ્ઠ અધિકારીની સાથે બેઠક કરી અને ફનીની સ્થિતિનો અંદાજો નીકાળ્યો. તમને જણાવી દઇએ કે ફની વિશાખાપટનમનાં દક્ષિણ-પૂર્વમાં 230 કિ.મી અને પૂરીનાં દક્ષિણ-પશ્ચિમમાં 420 કિમી દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત છે.
તમામ તટીય હવાઇ અડ્ડાઓને લઇને એલર્ટ જારીઃ
ભારતીય વિમાનપત્તન પ્રાધિકરણે તમામ તટીય હવાઇ અડ્ડાઓને લઇ એક એલર્ટ જારી કરેલ છે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તમામ સાવધાનીઓ અને એસઓપીને તુરંત ધ્યાનમાં રાખવામાં આવશે.
100થી પણ વધુ ટ્રેનો રદઃ
ફનીને ધ્યાનમાં રાખતા રેલ્વેએ 100થી પણ વધારે ટ્રેનો રદ કરી છે અને બે ટ્રેનોને ડાયવર્ટ કરી દીધી છે. આ તમામ ટ્રેનો કોલકાતા સિવાય ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળનાં પ્રભાવિત વિસ્તારોમાંથી થઇને પસાર થાય છે.
PM મોદીએ યોજી ઇમરજન્સી બેઠકઃ
મોદીની અધ્યક્ષતા હેઠળ થયેલી આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીનાં પ્રધાન સલાહકાર, પ્રધાનમંત્રીનાં અતિરિક્ત પ્રધાન સચિવ, ગૃહ સચિવની સાથે સાથે હવામાન વિભાગ, રાષ્ટ્રીય આપદા મોચન બળ, રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ અને પ્રધાનમંત્રી કાર્યાલયનાં વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો. અધિકારીઓએ પ્રધાનમંત્રીને ચક્રવાતી તોફાનનાં સંભાવિત માર્ગ અને આનાંથી નિપટવા માટે કરવામાં આવેલ ઉપાયોની જાણકારી આપી. તેને બતાવવામાં આવ્યું કે, રાહત અને બચાવ અભિયાન માટે ત્રણેય સેનાઓ સાથે રાષ્ટ્રીય આપદા મોચન બળની ટીમો સંપૂર્ણ રીતે મુસ્તૈદ છે.
સ્કૂલ-કોલેજો બંધઃ
ચક્રવાત ફનીને લઇને શુક્રવારનાં ઓરિસ્સામાં રક્ષાદળો દ્વારા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. આ સાથે સાથે ગુરૂવારનાં રોજ તમામ સ્કૂલો અને કોલેજોને આગામી આદેશ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તેને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
Andhra Pradesh: Rain lashes Podugupadu village in coastal district of Srikakulam. It is one of the four districts in the state (other three are East, Godavari, Vishakhapatnam, Vizianagaram) expected to be affected by #CycloneFani. pic.twitter.com/tJiigNBtoY
5 રાજ્યોનાં કિનારા વિસ્તારો ખાલી કરાયાં:
હવામાન વિભાગે ઓરિસ્સા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, પુડુચેરીના દરિયા કિનારના વિસ્તારોને ખાલી કરવાનું સૂચન કર્યું છે. ત્યાર પછી લોકોને સલામત જગ્યાઓ પર મોકલાઈ રહ્યા છે. કેન્દ્રે દરિયા કિનારાનાં રાજ્યોને 485 કરોડ રૂપિયાનું નવું ઈમર્જન્સી ફન્ડ આપ્યું છે, આ પહેલા મંગળવારે 1086 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું. ફેનીને ગયા વર્ષે આવેલા તિતલી અને ગાઝા તોફાન કરતાં વધુ ખતરનાક મનાઈ રહ્યું છે. બંનેમાં 80 લોકોનાં મોત થયાં હતાં.