ઓડિશાના વાવાઝોડામાં 375 ગુજરાતીઓ ફસાયા છે. જેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્ય સચિવ જે.એન.સિંહને સૂચના આપી હતી. ઓડિશાના તંત્ર વાહકો સાથે સંપર્કમાં રહી મદદ કરવા સુચના આપી છે. ફસાયેલા ગુજરાતીઓને યોગ્ય વ્યવસ્થા કરવા સૂચન કરવામાં આવ્યું છે.
ફસાયેલા લોકોને ગુજરાત પરત લાવવા માટે વ્યવસ્થા કરવામાં આવશે. જામનગર અને રાજકોટના પ્રવાસીઓ 17 એપ્રિલથી ઓડિશાના પ્રવાસે ગયા હતા, જગન્નાથપુરીમાં તમામ લોકો સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો.
સૌથી ભયાનક ફાની વાવાઝોડાને લઇને ઓડિશાની સ્થિતિ કફોડી બની ગઇ છે. ત્યારે 11 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ વાવાઝોડામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સ્થિતિમાં ઓડિશાને ગુજરાત દ્વારા આર્થિક સહાય કરવામાં આવી છે.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાહત નીધિમાંથી 5 કરોડ રૂપિયાની જાહેરા કરી છે. જોકે પીએમ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી ફાની બાદ રાહત કાર્ય માટે 1000 કરોડના રાહત પેકેજ જાહેરાત કરી હતી.