ભારત સરકારની તરફથી પશ્વિમ બંગાળની મમતા સરકારને પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી મોદી ઓડિશા બાદ ત્યાં પણ રિવ્યૂ બેઠક કરવા ઇચ્છે છે.
ચક્રવાત તોફાન 'ફોની' તો તબાહી મચાવીને જતું રહ્યું, પરંતુ પોતાની પાછળ રાજકારણને હવા આપીને ગયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફોની તોફાનથી થયેલા નુકસાનની ચકાસણી લેવા ઓડિશા પહોંચ્યા છે. કેન્દ્ર સરકારે બંગાળમાં પણ ફોની તોફાનથી થયેલા નુકસાન માટે એક રિવ્યૂ બેઠકનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ રાજ્યની મમતા બેનર્જી સરકારે આ પ્રસ્તાવને ફગાવી દીધો છે.
ભારત સરકારના સૂત્રોનું માનીએ તો ભારત સરકાર તરફથી પશ્વિમ બંગાળની મમતા સરકારને પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી મોદી ઓડિશા બાદ ત્યાં પણ રિવ્યૂ બેઠક કરવા ઇચ્છે છે. પરંતુ રાજ્ય સરકાર તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે હાલ રાજ્યના અધિકારીઓ ચૂંટણીમાં વ્યસ્ત છે, એ કારણથી રિવ્યૂ મીટિંગ કરી શકાશે નહીં.
PMO Sources: However the state government has replied that the govt officials are busy with election duty and hence the review meeting should not be held. 2/2 https://t.co/i1p0GpB24y
જણાવી દઇઅ કે ઓડિશામાં તબાહી મચાવ્યા બાદ ફોની તોફાનમાં બંગાળ તરફ આગળ વધ્યું હતું, ત્યારબાદ એ બાંગ્લાદેશની તરફ ચાલ્યું ગયું. બંગાળના ઘણા વિસ્તારમાં ફોનીના કારણે વાવાઝોડું અને વરસાદ હતો. જો કે અહીંયા કોઇ નુકસાન થયું નહતું.
આ બેઠક પહેલા રવિવારે માહિતી મળી હતી કે ફોની તોફાનની જાણકારી લઇને પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી મમતા બેનર્જીને ફોન કરવામાં આવ્યો હતો. પરંતુ પીએમ મોદીની મમતા બેનર્જી સાથે વાત થઇ શકી નહતી. જ્યારે મુખ્યમંત્રી સાથે વાત થઇ શકી નહીં તો પીએમ મોદીએ રાજ્યના રાજ્યપાલ કેસરી નાથ ત્રિપાઠીથી રાજ્યની સ્થિતિની જાણકારી લીધી હતી.
ત્યારબાદ ટીએમસી અને ભાજપની વચ્ચે બોલાચાલી થઇ ગઇ. ટીએમસીએ આરોપ લગાવ્યો કે પીએમ નરેન્દ્ર મોદીનો કોઇ ફોન આવ્યો નથી.