ઓડિશા પછી ચક્રવાત 'બુલબુલ' બંગાળમાં પોતાની અસર શરૂ કરી દીધી છે. શનિવારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે રવિવાર સાંજ સુધી ધીરે ધીરે તોફાન નબળું પડી જશે.
પશ્ચિમ બંગાળમાં ચક્રવાત 'બુલબુલ'ની સ્થિતિ ગંભીર
માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ, 110-120 કિમીની ઝડપે ફૂંકાયો પવન
'બુલબુલ'ને લઈને PM મોદીએ કરી પ.બંગાળના CM મમતા બેનર્જી સાથે વાત, મદદનું આપ્યું આશ્વાસન
'બુલબુલ'ને લઈને PM મોદીએ કરીએ ટ્વિટ કરીને કહી આ વાત
Reviewed the situation in the wake of cyclone conditions and heavy rain in parts of Eastern India.
Spoke to WB CM @MamataOfficial regarding the situation arising due to Cyclone Bulbul. Assured all possible assistance from the Centre. I pray for everyone’s safety and well-being.
પીએમ મોદીએ ટ્વિટ કરીને રહ્યું છે કે 'બુલબુલ'ને લઈને મારી મમતા બેનર્જી સાથે વાત થઈ છે. કેન્દ્ર અને પ્રદેશ સરકારને દરેક સંભવ મદદ કરશે. હું દરેક લોકોની સુરક્ષાની કામના કરું છું.
રવિવારે પશ્ચિમ બંગાળમાં ચક્રવાત 'બુલબુલ' વધુ તીવ્ર બનવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ઘર, રસ્તા, સંદેશાવ્યવહાર અને વિદ્યુત સુવિધાઓને અસર થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને, માછીમારોને નવા ઓર્ડર સુધી દરિયામાં સાહસ ન કરવાની સલાહ આપવામાં આવી છે. મળતી માહિતિ મુજબ, 'બુલબુલ' ચક્રવાત 110-120 કિ.મી પ્રતિ કલાકની ઝડપે બંગાળને ઘમરોળી રહ્યું છે. આ પછી, રાજ્યના નીચાણવાળા વિસ્તારોના કાંઠાના ગામોમાં રહેતા લગભગ એક લાખ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે પણ 'બુલબુલ' અંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી સાથે વાત કરી છે.
55 હજાર સ્વયંસેવકો જોડાયા
આ ઉપરાંત લગભગ 55 હજાર સ્વયંસેવકો આ વાવાઝોડા વિશે જનજાગૃતિ માટે રોકાયેલા છે. રાજ્યના ઘણા અસરગ્રસ્ત ગામોમાંથી લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર પણ કરી રહ્યાં છે. આ જ ક્રમમાં રવિવારે, દક્ષિણ 24 પરગણા જિલ્લાના 200 જેટલા લોકોએ કોલકાતાના સાગર પાયલટ સ્ટેશન પર આશરો લીધો, જ્યાં સ્ટેશનના સ્ટાફ અને પાઇલટ્સે તેમને ભોજન પીરસ્યું હતું. વાવાઝોડાને લઈને કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું કે ચક્રાવાતી વાવાઝોડા 'બુલબુલ'ના સંકટને દૂર કરવાની સંભવ કોશિશ કરવામાં આવશે. કેન્દ્રએ કહ્યું કે આ નક્કી કરવામાં આવે કે જાનમાલને કોઈ નુકશાન ન થાય.
'બુલબુલ'થી નુકશાન
'બુલબુલે' બંગાળને હલાવીને રાખી દીધું છે. હાલ સુધી 2 લોકોના જીવ ગયા છે. 7815 ઘરોને નુકશાન થયું છે. 870 ઝાડ ઉખડી ચૂક્યા છે. 950 ફોન ટાવરને નુકશાન થયું છે. સાઉથ પરગનામાં 80 કિલોમીટર પ્રતિ કલાકથી હવા ચાલી રહી છે.
ફેરી સેવા બંધ
બંગાળના તટીય વિસ્તારોની સાથે રાજધાની કોલકત્તામાં વાવાઝોડું પોતાનું જોર બતાવી રહ્યું છે. 'બુલબુલ'થી થનારા નુકશાનને ધ્યાનમાં લઈને શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી કોલકત્તાના એરપોર્ટ પર ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. આ સાથે બિચાલી ઘાટ પરની ફેરી સેવા પણ બંધ કરવામાં આવી છે.
પાયલટ સ્ટેશન પર ગ્રામીણોએ લીધી શરણ
વાવાઝોડાથી પ્રભાવિત લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવી રહ્યા છે. સાઉથ 24 પરગના જિલ્લાના વાવાઝોડાથી પ્રભાવિત ગામના લગભગ 200 લોકોએ રવિવારે કોલકત્તા પોર્ટ ટ્રસ્ટના સાગર પાયલટ સ્ટેશન પર શરણ લીધી હતી. અહીં પાયલટ, કમાંડર અને સ્ટાફે પીડિતોને ભોજન પણ કરાવ્યું હતું. આ સમયે તેઓએ પોતે ગ્રામીણોને ભોજન પીરસ્યું હતું.
અનેક જિલ્લામાં જોવા મળી રહી છે વાવાઝોડાની અસર
હવામાન વિભાગે જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળ ઉત્તર-દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદિનીપુરના કાંઠાના જિલ્લાઓમાં રવિવારે ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ મેદિનીપુર, હાવડા, નાડિયા અને હુગલીમાં આગામી 12 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. બંગાળ ઉપરાંત, આગામી 36 કલાક સુધી દક્ષિણ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના પૂર્વોત્તર રાજ્યોમાં બુલબુલ તેની અસર બતાવશે. આ સમય દરમિયાન અહીં ભારે વરસાદની સંભાવના છે.