બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone Biporjoy will take a huge form in 24 hours: Ambalal Patel
Priyakant
Last Updated: 03:22 PM, 10 June 2023
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ બિપોરજોય વાવાઝોડું 24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરશે. જેને લઈ 11થી 14 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. આ સાથે દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાનું પણ અનુમાન છે. દરિયા કાંઠે 70થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર બિપોરજોય વાવાઝોડાને લઈ મોટી આગાહી કરી છે. બિપોરજોય વાવાઝોડું 24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે. જેને લઈ હવે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાનમાં ભારે વરસાદ થશે. આ સાથે મધ્ય ગુજરાતમાં 40 કિમીથી વધુની સ્પીડે પવન ફૂંકાશે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં પણ ભારે પવન ફૂંકાશે.
ADVERTISEMENT
હવામાન વિભાગે પણ કરી છે મોટી આગાહી
બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. બિપોરજોય વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું પોરબંદરથી 600 કિમી દૂર છે. વાવાઝોડું નજીક આવતા દરિયામાં સિગ્નલ બદલાશે. હાલ તમામ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી છે.
આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આજે અમરેલી, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી અને અમદાવાદમાં વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. આવતીકાલથી પવનની ગતિમાં પણ વધારો થશે.
અમદાવાદમાં પણ પડી શકે છે વરસાદ
આ વાવાઝોડાની સંભવિત અસર તરીકે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં થંડરસ્ટ્રોમાં એક્ટિવિટીની અસર પણ રહેશે, જ્યારે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફૂંકાશે ભારે પવન!
તેમણે જણાવ્યું કે, આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો 13, 14 અને 15 જૂને ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં અંદર જવાની મનાઈ છે.
માછીમારોને અપાઈ છે સૂચના
દરિયામાં પણ આવતીકાલે 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો 12 તારીખે 50થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકાય છે. વાવઝાડું હજુ પોરબંદરથી 600 કિમી દૂર છે. જેમ-જેમ વાવાઝોડું નજીક આવશે તેમ-તેમ તમામ બંદર પર સિગ્નલ બદલાવવામાં આવશે. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, પોરબંદર, જામનગર સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી શકે છે તેવું અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.