બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Cyclone Biporjoy to intensify in next 6 hours: Heavy rain forecast in these areas

અપડેટ / આગામી 6 કલાકમાં અતિતીવ્ર બની જશે બિપોરજોય વાવાઝોડું: આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

Megha

Last Updated: 09:08 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ અનુસાર ચક્રવાત 'બિપરજોય'ના કારણે રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 14-15 જૂનના રોજ રાજ્યના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે

  • 'બિપરજોય' આગામી 6 કલાક દરમિયાન વધુ તીવ્ર બને તેવી શક્યતા
  • ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે.
  • પોરબંદરથી 530 કિમી દૂર છે વાવાઝોડું

અરબ સાગર ઉપર રચાયેલ ચક્રવાતી તોફાન 'બિપરજોય' ઉત્તર તરફ આગળ વધ્યું છે અને આગામી 6 કલાક દરમિયાન તે વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે.

અંહિયા પડી શકે છે વરસાદ 
IMD અનુસાર 15 જૂન સુધીમાં આ ચક્રવાત પાકિસ્તાન અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત 'બિપરજોય'ના કારણે આગામી સપ્તાહે રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. આ સાથે જ 14-15 જૂનના રોજ રાજ્યના દક્ષિણ અને પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન જોધપુર અને ઉદયપુર ડિવિઝનના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગે ચક્રવાત અત્યંત ગંભીર હોવાની ચેતવણી આપ્યા બાદ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, ગોવા અને અન્ય દરિયાકાંઠાના રાજ્યોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.

પોરબંદરથી 530 કિમી દૂર છે વાવાઝોડું
અરબ સાગરમાં સર્જાયેલા અત્યંત શક્તિશાળી વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી છે. અરબી સમુદ્રમાં પ્રચંડ રૂપ ધારણ કરી વાવાઝોડું પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.  વાવાઝોડાને લઈ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્યારે બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 530 કિમી દૂર છે. જ્યારે આ વાવાઝોડું દ્વારકાથી 590 કિમી અને નલિયાથી 670 કિમી દૂર છે.

દરિયાકિનારે જવા પર પ્રતિબંધ 
વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાને રાખીને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.  સુરત, પોરબંદર, વલસાડ અને દ્વારકામાં દરિયાકિનારે જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.  સોમનાથ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોના જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ગીર સોમનાથમાં એલર્ટ જાહેર
બિપોરજોય વાવાઝોડાને લઈ ગીર સોમનાથમાં એલર્ટ જાહેર કરાયું છે. વેરાવળ બંદરે 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગીર સોમનાથ વહીવટી અને પોલીસ તંત્ર પણ સતર્ક છે. વેરાવળ સોમનાથના સમુદ્રમાં કરંટ જોવા મળી રહ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વેરાવળની ચોપાટી પર પણ લોકોના જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયો છે. કોઈપણ સ્થિતિને પહોંચી વળવા NDRFની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Biporjoy Cyclone Biporjoy Cyclone In Gujarat Cyclone Biporjoy બિપોરજોય વાવાઝોડું બિપોરજોયનું સંકટ Biporjoy Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ