બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Cyclone Biparjoy is moving towards Gujarat 7 districts are Red Zone, NDRF and Army are on alert

આફતરૂપી વાવાઝોડું / ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે Cyclone Biparjoy...આ 7 જિલ્લા છે Red Zone,તબાહીના એલર્ટ વચ્ચે જમીન પર છે NDRF અને આર્મી

Last Updated: 03:08 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

15 જૂનની સાંજે બિપરજોય ત્રાટકશે તે પહેલા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાત સહિત 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

  • અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોયની અસર દેખાવા લાગી 
  • બિપરજોય ગુજરાતના આ 7 જિલ્લામાં તબાહી મચાવી શકે છે
  • ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે ત્યારે વાવાઝોડા પહેલા રાજ્યના દરિયા કિનારા પાસે તેની મોટા પ્રમાણમાં અસર દેખાઈ રહી છે. બિપોરજોય વાવાઝોડું સતત ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ મુજબ વાવાઝોડું આવતીકાલે ગુરુવાર (15 જૂન)એ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે, જેના માટે વહીવટી તંત્ર એલર્ટ છે. વાવાઝોડાનું સૌથી વધુ સંકટ દરિયા કિનાર પર જોવા મળી રહી છે. જેના કારણે હજારો લોકોને સ્થળાંતરિત કરાયા છે. ચક્રવાત બિપોરજોયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી અને સુરક્ષા જળવાઈ રહે તે માટે વહીવટી તંત્રએ સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સની પણ મદદ લીધી છે. આ દરમિયાન વાવાઝોડા અંગે મોટી માહિતી સામે આવી છે.

અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન બિપરજોયની અસર દેખાવા લાગી 
15 જૂનની સાંજે ગુજરાતના કચ્છમાં ત્રાટકશે પરંતુ તે પહેલા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. બિપરજોયના કારણે ગુજરાત સહિત 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બિપરજોયના કારણે ગુજરાતના 7 જિલ્લામાં ભારે વિનાશની સંભાવના છે. આ જિલ્લાઓમાં મકાનો, રસ્તાઓ, વીજ થાંભલાઓ, વૃક્ષોને નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દ્વારકા, કચ્છ, જૂનાગઢ, મોરબી સહિતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ પણ વાંચો: 6 કલાકથી ધીમું પડ્યું બિપોરજોય વાવાઝોડું, પણ રાહત મળશે કે નહીં? IMDના ડાયરેક્ટરે આપ્યા અપડેટ

બિપરજોય ક્યાં ત્રાટકશે?
ચક્રવાત બિપરજોય 15 જૂનની સાંજે ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીમાં ત્રાટકશે એવી સંભાવના જતાવવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. 

આ 9 રાજ્યોમાં એલર્ટ
ભારતીય હવામાન વિભાગે બુધવારે 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ મૂક્યું છે જેમાં ગુજરાત, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી છે. સાથે જ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ છે. આ પણ વાંચો: 'બિપોરજોય' મચાવશે તાંડવ! ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 9 રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર, 150 કિમીની ઝડપે પવન ફૂંકાશે

બિપરજોય ગુજરાતના આ 7 જિલ્લામાં તબાહી મચાવી શકે છે
બિપરજોયને કારણે 15મી જૂને કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને જૂનાગઢમાં નુકસાન થવાની સંભાવના છે. આ જિલ્લાઓમાં કચ્છના મકાનોને ભારે નુકસાન થઈ શકે છે. 

ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ
15મી જૂને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 14મી જૂને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.  કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદની સંભાવના છે. 

પવનની ઝડપ 170 કિમી પ્રતિ કલાકની રહેશે
અત્યારે બિપરજોય 145-155 kmphની ઝડપે આગળ વધી રહ્યો છે. તે 170 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચે તેવી શક્યતા છે. 15 જૂને પવનની ઝડપ 125 થી 150 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જો કે, 16 જૂનથી, ઝડપ ધીમી થવાનું શરૂ થશે. 

30 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
ચક્રવાતી વાવાઝોડાને જોતા અત્યાર સુધીમાં 30,000થી વધુ લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500, પોરબંદરમાં 546, દ્વારકામાં 4820, ગીર સોમનાથમાં 408, મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

NDRFની 17 ટીમો તૈનાત
એનડીઆરએફની 17 ટીમો અને એસડીઆરએફની 12 ટીમો ચક્રવાત પ્રભાવિત જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. કચ્છમાં NDRFની ચાર, દેવભૂમિ દ્વારકામાં ત્રણ, રાજકોટમાં ત્રણ, જામનગરમાં બે, જૂનાગઢ પોરબંદર, ગીરસોમનાથ, મોરબી અને વલસાડમાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. બરોડામાં ત્રણ અને ગાંધીનગરમાં એક ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. 

SDRFની ટીમો તૈનાત
કચ્છ, જામનગર અને દ્વારકામાં એસડીઆરએફની બે-બે ટીમો, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. સુરતમાં એક ટીમને રિઝર્વમાં રાખવામાં આવી હતી. 

પીએમ મોદી-અમિત શાહે સુરક્ષાની સમીક્ષા કરી
પીએમ મોદીએ 12 જૂને બિપરજોય સાથે વ્યવહાર કરવાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ અધિકારીઓને સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને બહાર કાઢવા માટે તમામ સંભવિત પગલાં લેવા સૂચના આપી હતી. આ સાથે પ્રાણીઓની સલામતી પણ સુનિશ્ચિત કરવી જોઈએ. આ પણ વાંચો: ગૃહમંત્રી શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે યોજી બેઠક, NDRF-આર્મીના જવાનો સ્ટેન્ડ બાય, જાણો અત્યાર સુધીની 20 અપડેટ

બિપરજોય સામે સેના પણ તૈયાર 
ચક્રવાતનો સામનો કરવા માટે આર્મી અધિકારીઓ સિવિલ એડમિનિસ્ટ્રેશન અને NDRF સાથે સતત સંપર્કમાં છે. સેનાએ કોઈપણ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે પ્લાન તૈયાર કર્યો છે. બીજી તરફ, પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અત્યાર સુધીમાં 69 ટ્રેનો રદ કરી છે. આ પણ વાંચો: ભારતીય સેના એલર્ટ: ‘બિપોરજોય’ ત્રાટકે તે પહેલાની તૈયારીઓ, પૂર રાહત કોલમનું રિહર્સલ, જુઓ તસવીરો

તમામ 33 જિલ્લામાં હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે
ગુજરાતના તમામ 33 જિલ્લામાં હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવ્યા છે. લોકો કોઈપણ મદદ માટે 1077 પર કોલ કરી શકે છે. આ પણ વાંચો: બિપોરજોય વાવાઝોડું ટકરાય એ પહેલા આ નંબર સેવ કરી લેજો, તમામ 33 જિલ્લાના કંટ્રોલરૂમ નંબર જાહેર, જુઓ લિસ્ટ

સંકળાયેલા મુદ્દાઓ

Cyclone Biparjoy Cyclone Biparjoy Latest News Cyclone Biparjoy Update Cyclone Biparjoy news બિપરજોય બિપરજોય વાવાઝોડું Cyclone Biparjoy News
Megha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ