તારક મહેતા... છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યું છે અને તેનો સેટ એક સિમ્બોલ છે. હાલમાં જ આવેલા તૌકતે વાવાઝોડાએ તારક મહેતા..ના સેટ પર તબાહી મચાવી છે.
તારક મહેતા...ના ફેન્સ માટે ખરાબ સમાચાર
સિલવાસામાં રહેલા સેટને થયુ નુકસાન
તૌકતે વાવાઝોડાના કારણે થયુ નુકસાન
કોરોનાના કારણે શોના સેટને દાદરાનગર હવેલીના એક શહેર સિલ્વાસામાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો પરંતુ કોરોના બાદ આવેલ તૌકતે તોફાનના કારણે સેટ પર ભારે નુકસાન થયુ છે.
ગયા રવિવાર અને સોમવારે મુંબઇમાં તબાહી મચાવ્યા બાદ તોફાન ગુજરાત તરફ આગળ વધ્યું હતુ પરંતુ તેના કારણે આસપાસના વિસ્તાર પ્રભાવિત થયા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ દમણ અને સિલવાસા શહેરમાં જોવા મળ્યુ હતુ.
સિલવાસા શહેરમાં કેટલાક ટીવી શો અને મૂવીઝના સેટ હતા જેમાંથી એક સેટ તારક મહેતા...નો પણ હતો. મિડીયા રિપોર્ટ અનુસાર શોના સેટ પર જે ભારે નુકસાન થયુ છે તે બાદ સેટ રિપેર કરવામાં એક અઠવાડીયાનો સમય લાગી શકે છે.
રિપોર્ટ અનુસાર કેટલીક હદ સુધી સંપત્તિઓનું પણ નુકસાન થયુ છે. જો કે કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તારક મહેતા... સિવાય ટીવી શો વાગલે કી દુનિયાની શૂટિંગ પણ સિલવાસામાં થઇ રહી હતી. જેના સેટને પણ નુકસાન થયુ છે.
વાગલે કી દુનિયા શોના નિર્માતા જેડી મજીઠીયાએ આ વિશે વાત કરતી વખતે કહ્યું કે, ચક્રવાતની તેજ હવાઓએ ફિલ્મ સીટી મીરા રોડ અને નાયગામમાં સેટને ઘણુ નુકસાન પહોંચાડ્યુ છે. ઘણા સેટમાં તોફાનના કારણે ઝાડ પડ્યા છે અને કેટલાક ખુલ્લા સેટ તોફાનના કારણે વહી ગયા છે.
તમને જણાવી દઇએ કે, તૌકતે તોફાન પહેલાથી જ તારક મહેતા...નું શૂટિંગ મુંબઇની બહાર થઇ રહ્યું હતું. લૉકડાઉનના કારણે સિરીયલ પર નુકસાન થઇ રહ્યું હતું જેના લીધે અસિત મોદીએ આ પ્રકારનો નિર્ણય લીધો હતો. સિલવાસામાં પણ શૂટિંગ દરમિયાન કોરોનાના નિયમોનો કડકાઇથી પાલન કરવામાં આવી રહ્યું હતુ.