સદીનું સૌથી ભયાનક વાવાઝોડુ 'અમ્ફાન' (Cyclone Amphan) બુધવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય દરિયાકિનારે ત્રાટક્યું છે. આ દરમિયાન ભારે વરસાદ પણ થઇ રહ્યો છે. કોલકાતાના હવામાન વિભાગે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં બપોરે 2:30 વાગ્યે 'અમ્ફાન' ના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ, જે આગામી 4 કલાક જારી રહેશે. ભયાનક વાવાઝોડાની ઝપેટમાં આવવાથી બંગાળ અને ઓરિસ્સાના લગભગ 4.5 લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.
ભયાનક વાવાઝોડુ 'અમ્ફાન' બુધવારે પશ્ચિમ બંગાળમાં ભારતીય દરિયાકિનારે ત્રાટક્યું
લગભગ 14 લાખ લોકોને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે
જ્યારે ઓરિસ્સા અને બંગાળના દરિયાકિનારના અનેક ગામો ખાલી કરાવાયા છે. એક માહિતી મુજબ લગભગ 14 લાખ લોકોને અન્ય સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે. દરિયાકિનારના વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. બંગાળ અને ઓરિસ્સામાં વધારે નુકશાન થવાની ભીતિ હોવાથી કેન્દ્રની 53 કરતાં વધારે NDRFની ટીમ તૈનાત કરાઈ છે. આ ઉપરાંત આર્મીના બે એરક્રાફ્ટ તૈનાત રાખાયા છે.
The landfall process commenced since 2:30 PM, will continue for about 4 hours. The forward sector of the wall cloud region is entering into land in West Bengal: Director, IMD Bhubaneswar #CycloneAmphanpic.twitter.com/bbAznoaz3f
હવામાન અધિકારીઓના મતે અમ્ફાન ભારતના 11 રાજ્યો અને 1 કેન્દ્રસાશિત પ્રદેશના વિસ્તારોમાં પોતાની અસર દેખાડી શકે છે. આ સાથએ બાંગ્લાદેશ પર ભારે અસર થશે જ્યારે નેપાળના અમુક વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ શકે છે. હાલમાં આજ અને કાલના દિવસોમાં કોલકતા અને ભુનેશ્વર શહેરમાં ખુબ મોટી અસર થઈ શકે, જો કે તંત્રની અલર્ટનેસ છે.
અમ્ફાનના તેજ પવનો ઓરિસ્સાને પારદ્વીપને પાર કરી ચુક્યા છે. ગમે ત્યારે શહેરોમાં ત્રાટકી શકે છે. હાલમાં રાજ્યના અનેક શહેરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દરિયાકિનારના ગામોમાં મોટા વૃક્ષ ધરાશાયી થયાની અનેક ઘટના બની છે. હાલમાં ઓરિસ્સા પહોંચેલું અમ્ફાન ઓરિસ્સા કરતાં પણ વધુ બંગાળ અને બાંગ્લાદેશને વધુ નુકશાન પહોંચાડી શકે છે.