ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્ય પર વાવાઝોડાંને લઇને સંકટને લઇને સમાચાર આવ્યાં હતા. જો કે હાલ કોરોનાના સંકટનો સામનો કરી રહેલી રાજ્યની પ્રજા માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. હવે એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે અરબી સમુદ્રમાં સક્રિય થઇ રહેલું વાવાઝોડું પોતાની દિશા બદલી ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. આમ ગુજરાત પરથી વાવાઝોડાંનું સંકટ ટળે તેવી સંભાવના જોવા મળી રહી છે.
ગુજરાત પરથી ટળી શકે છે વાવાઝોડાનું સંકટ
1 જૂનની આસપાસ વાવાઝોડું થવાનું છે સક્રીય
વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળી શકે છે. આગામી 1 જૂનની આસપાસ અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ પાસે વાવાઝોડું સક્રીય થઈ શકે છે. જ્યારે 2 જૂન સુધીમાં વાવાઝોડું તીવ્ર થઈ શકે છે.
જોકે આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધશે. જોકે 3 જૂને વાવાઝોડું ગુજરાત પહોંચે તે પહેલા પોતાની દિશા બદલે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. આ વાવાઝોડું ફંટાઈને ઓમાન તરફ જઈ શકે છે.
જો કે આ વાવાઝોડાના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. જ્યારે દરિયામાં પણ ઉંચા મોજા ઉછળે તેવી શક્યતા છે.
થોડા દિવસ અગાઉ વિન્ડી (www.windy.com) મુજબ ગુજરાતના પશ્ચિમ ભાગે અરબી સમુદ્રની અંદર નવી સાયક્લોન પેટર્ન સર્જાઈ રહી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જેની અસર ગુજરાત પર 3 જુનના દિવસે થાય તેવું જણાવામાં આવ્યું હતું. હાલમાં અરબી સમુદ્રમાં સોમાલિયા અને એડન નજીક સર્ક્યુલેશનના કારણે લો પ્રેશર સર્જાયું હોવાનું જણાવાયું હતું. જે આગામી સમયે વાવાઝોડાંનું રૂપ ધારણ કરશે. આ પ્રેશરથી 3 જુન બાદ ગુજરાત અને મહારાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની આગાહી પણ આપવામાં આવી હતી.