સાયબર હેકર્સે હવે ICMRની વેબસાઈટ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. ICMRની વેબસાઈટ પર 24 કલાકના ગાળામાં 6000થી વધુ વખત હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ICMRની વેબસાઈટ પર સાયબર હેકર્સેનો હુમલો
24 કલાકના ગાળામાં 6000થી વધુ વખત હુમલો
સરકારી સંસ્થાઓને ફાયરવોલ અપડેટ રાખવા જણાવ્યું
દિલ્હી AIIMSના સર્વર હેક કરવાનો મામલો હજુ ઉકેલાયો ન હતો કે સાયબર હેકર્સે હવે ICMRની વેબસાઈટ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. AIIMS પછી, સાયબર હુમલાખોરોએ હવે ભારતમાં અન્ય આરોગ્ય અને સંશોધન સંસ્થાઓની વેબસાઇટ્સ અને દર્દીની માહિતી પ્રણાલીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. એનઆઈસી એટલે કે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે 30 નવેમ્બરે સાઈબર હેકર્સે આઈસીએમઆર એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની વેબસાઈટ પર 24 કલાકના ગાળામાં 6000થી વધુ વખત હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
હોંગકોંગ સ્થિત બ્લેકલિસ્ટેડ આઈપી થયો હુમલો
જ્યારે ICMRની વેબસાઈટ પર હુમલો કરનારા હુમલાખોરોની વિગતો વિશે પૂછવામાં આવ્યું ત્યારે અધિકારીએ કહ્યું કે ICMRની વેબસાઈટ પરના આ હુમલા હોંગકોંગ સ્થિત બ્લેકલિસ્ટેડ આઈપી એડ્રેસ 103.152.220.133 પરથી કરવામાં આવ્યા હતા, મની કંટ્રોલે અહેવાલ આપ્યો હતો. જો કે, સાયબર હુમલાખોરોને બ્લોક કરવામાં આવ્યા હતા અને તેઓ તેમના નાપાક ષડયંત્રમાં સફળ થઈ શક્યા ન હતા. અધિકારીએ કહ્યું કે અમે આ અંગે ટીમને એલર્ટ કરી દીધી છે. જો ફાયરવોલ (વાયરસથી ફાયરવોલ સિસ્ટમનું રક્ષણ કરવા માટેની સુરક્ષા વ્યવસ્થા)માં કેટલીક ખામીઓ હોત, તો હેકર્સ વેબસાઈટની સુરક્ષાને તોડવામાં સફળ થઈ શકે છે.
સરકારી સંસ્થાઓને ફાયરવોલ અપડેટ રાખવા જણાવ્યું
દરમિયાન, ICMR અધિકારીઓએ આ બાબતે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. અધિકારીના જણાવ્યા અનુસાર NICએ સરકારી સંસ્થાઓને ફાયરવોલ અપડેટ રાખવા જણાવ્યું છે. તેમણે કહ્યું, 'NICની માર્ગદર્શિકાનું નિયમિતપણે પાલન કરવું પડશે. સરકારી સંસ્થાઓને ઓપરેટિંગ સિસ્ટમના સિક્યોરિટી પેચને અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું કે 2020થી આરોગ્ય સંસ્થાની વેબસાઇટ પર સાયબર હુમલા વધ્યા છે.
3-4 કરોડ દર્દીઓના ડેટા પ્રભાવિત
ઉલ્લેખનીય છે કે, દિલ્હી AIIMSનું સર્વર ભૂતકાળમાં હેક થયું હતું. બુધવારે સવારે AIIMSમાં સાયબર ભંગની જાણ થઈ હતી. આશંકા છે કે ભંગને કારણે લગભગ 3-4 કરોડ દર્દીઓના ડેટા પ્રભાવિત થઈ શકે છે. સર્વર ડાઉન હોવાને કારણે ઈમરજન્સી યુનિટ, બહારના દર્દીઓ, દાખલ દર્દીઓ અને લેબોરેટરી વિભાગમાં પેશન્ટ કેર સેવાઓ પેપર મુજબ મેનેજ કરવામાં આવી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.