આજે કોંગ્રેસ CWCની બેઠક મળશે. આ બેઠકમાં કોગ્રેસના નવા અધ્યક્ષ મુદ્દે ચર્ચા થશે. આ સાથે જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષની જાહેરાત પણ થઇ શકે છે. તેમજ કાર્યકારી અધ્યક્ષની નિમણૂંક બાદ કાયમી અધ્યક્ષની ચૂંટણી યોજવા અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. આ બેઠકમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ હાજરી આપશે.
KC Venugopal, Congress: There is Congress Working Committee (CWC) meet tomorrow. There will be broader consultations also. PCC presidents, CLP leaders, MPs and AICC secretaries will take part. Finally, CWC will take a decision. pic.twitter.com/AbdS4ucKTz
આપને જણાવી દઇએ કે, રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ અધ્યક્ષ પદ ખાલી છે. જો કે યુવા નેતાને કોંગ્રેસની કમાન સોંપવાની આગેવાનોએ માગ કરી છે. જેમાં પ્રિયંકા ગાંધી, સચિન પાયલટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના નામ પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ મુદ્દાઓ પર પણ CWCની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.
મિલિંદ દેવરાએ 2 નામની મુકી દરખાસ્ત
મુંબઈ કોંગ્રેસના પ્રમુખ મિલિંદ દેવરાએ રવિવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના નામની દરખાસ્ત કરી હતી. દેવરાએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહના નિવેદન સાથે સંમત છે કે કોંગ્રેસના નવા પ્રમુખ યુવા, સક્ષમ અને ચૂંટણીલક્ષી, વહીવટી અને સંગઠનાત્મક ક્ષમતાઓથી સજ્જ હોવા જોઈએ અને તેમની સમગ્ર દેશમાં અપીલ થવી જોઈએ.
પ્રિયંકા ગાંધીનું નામ ખાસ ચર્ચામાં
પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર વિરુદ્ધ પૂર્ણ રીતે સક્રિય છે. પ્રિયંકા ગાંધી સતત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ હુમલા કરી રહ્યા છે. પાર્ટીના નેતાઓ અનુસાર, કાર્યકારી અધ્યક્ષની નિયુક્તિમાં વિલંબથી પાર્ટીને નુકશાન થઇ રહ્યું છે. જે, હાલ અધ્યક્ષ વિહીન છે.
નેતૃત્વ ન હોવાને કારણે લોકોના મનમાં શંકા પેદા થઇ રહી છે. અને હાઇકમાને રાજ્ય નેતૃત્વને સ્પષ્ટ દિશાનિર્દેશ ન મળવાને કારણે જ કોંગ્રેસ એક મહત્વપૂર્ણ દક્ષિણનું રાજ્ય કર્ણાટક ગુમાવી બેઠી છે.