સોનિયા ગાંધીને પત્ર લખવાવાળા 23 નેતાઓમાં સામેલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે સમગ્ર કોંગ્રેસ વર્કિંગ કમેટીની ચૂંટણી કરવાની જરૂર છે.
કોંગ્રેસમાં ચાલુ છે હજી આંતરિક ઘમાસાણ
ગુલામ નબી આઝાદે કહ્યું, CWCની ચૂંટણી થવી જોઈએ.
23 નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષાને લખ્યો હતો પત્ર
કોંગ્રેસના 23 નેતાઓ જેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતીઓ તે બાદ મળેલી CWCની બેઠકમાં ખૂબ જ આરોપ પ્રત્યારોપનો દોર ચાલેલો. તેને લઈને ગુલામ નબી અકહ્યું હતું કે જેમણે પણ કોંગ્રેસના આંતરિક કામકાજમાં ખરેખર રસ કહેબ તેમણે અમારા આ પ્રસ્તાવનું સમર્થન કરવું જોઈએ, અને તેને વધુ એક્સટેન્ડ કરીને રાજ્ય અને જિલ્લા લેવલના અધ્યક્ષ સુધી લઈ જવું હિતાવહ છે.
સમગ્ર CWCની ચૂંટણી થવી જોઈએ
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે તેમનો ઈરાદો કોંગ્રેસને મજબુત બનાવવાનો છે. જે લોકોને માત્ર એપોઈંટમેન્ટ કાર્ડ મળ્યાં છે તેમણે આનાથી પ્રોબ્લેમ હોઈ શકે છે. CWCની ચૂંટણી કરવામાં કોઈ પ્રોબ્લેમ ન હોવો જોઈએ,. કેમ કે તેમના સભ્યોનો એક નિશ્ચિત કાર્યકાળ હશે.
Unfortunate that Jitin Prasada is being officially targeted in UP
Congress needs to target the BJP with surgical strikes instead wasting its energy by targeting its own
આ અગાઉ વરિષ્ઠ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે કોંગ્રેસના ઉત્તર પ્રદેશના નેતા જિતિન પ્રસાદની સામે યુપી કોંગ્રેસ દ્વારા પગલા લેવાની જાહેરાતને વખોડી હતી અને ટ્વીટ કર્યું હતું કે કોંગ્રેસે ભાજપ પર સર્જીકલ સ્ટ્રાઈક કરવાની જરૂર છે, પોતાના લોકો પર નહિ.
કોણ કોણ હતું પત્રમાં સહી કરવામાં સામેલ
નોંધનીય છે કે સોનિયા ગાંધીને પત્ર લખનારા 23 નેતાઓ'માં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો જેવા કે રાજ્યસભામાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ, શશિ થરુર, મનીષ તિવારી, રેણુકા ચૌધરી, મિલિન્દ દેવડા, અજય સિંહ, આનંદ શર્મા, પી જે કુરિયન વગેરેના નામ સામેલ છે.
આ સિવાય સાંસદ વિવેક તનખા, મુકુલ વાસનિક, જિતિન પ્રસાદ, ભુપેન્દ્રસિંહ હુડ્ડા, રાજેન્દ્ર કૌર ભટ્ઠલ, વીરપ્પા મોઇલી, પૃથ્વીરાજ ચવ્હાણ, રાજ બબ્બર, સંદીપ દીક્ષિત, અરવિન્દર સિંહ લવલી, કુલદીપ શર્મા, કૌલ સિંહ ઠાકુર, અખિલેશ સિંહ, કુલદીપ શર્મા, યોગાનંદ શાસ્ત્રીએ પણ સહીઓ કરી હતી.