12 જૂને થયેલી વર્લ્ડકપની મેચમાં ઓસ્ટ્રેલિયાઇ ટીમે પાકિસ્તાનને હરાવી દીધી છે. પાકિસ્તાનની ટીમ નર્લ્ડ કપમાં અત્યાર સુધી ચાર મેચ રમી ચુકી છે અને માત્ર 1 માં જ જીતી શકી છે. પાકિસ્તાન અને શ્રીલંકાની વચ્ચે વરસાદના કારણે મેચ રદ થઇ હતી અને બંને ટીમને એક એક અંક આપવાામાં આવ્યો હતો.
પાકિસ્તાન હાલ પોઇન્ટ્સ ટેબલમાં આઠમાં સ્થાને છે. પાકિસ્તાનને આગળની મેચ 16 જૂને ભારત વિરુદ્ધ રમવાની છે અને જો પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પહોંચવા ઇચ્છે છે તો એને આ મેચ જીતવની જ પડશે નહીં તો સમસ્યા વધી શકે છે.
પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદ ઓસ્ટ્રેલિયાની સાથે ટોન્ટન મેચ પહેલા ગ્રીન પીચને લઇને પરેશાન હતો. ક્રિકેટની દુનિયામાં ગ્રીન ઘાસનો અર્થ છે એ પીચ જેની પર ફાસ્ટ બોલરોને મદદ મળે. સરફરાઝ એ વાતથી નાખુશ છે કે પાકિસ્તાનને ગ્રીન પીચ કેમ આપવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર સરફરાઝ આ વાતથી પણ પરેશાન છે કે ભારતને હંમેશા સારી પીચ મળી છે જે બેટ્સમેન અને સ્પિનર બોલરો માટે મદદરૂપ હોય છે. એશિયાઇ દેશોને એવી પીચ સૂટ કરે છે. પાકિસ્તાનને મુશ્કેલ વિકેટ પર રમવા આપવામાં આવે છે. પાકિસ્તાનને હંમેશા ટૉન્ટન જેવી પીચ પર રમવાની તક મળે છે જે ખૂબ જ અઘરી હોય છે.
ભારતની સાથે મેચને લઇને સરફરાઝે કહ્યું છે- ભારત-પાકિસ્તાન વાળી મેચ એક મોટી મેચ છે એટલા માટે અમે અમારા સ્તર પર બેસ્ટ પરફોમન્સ કરીશું.
ભારત અને પાકિસ્તાનના વચ્ચે 16 જૂને વર્લ્ડ કપ મેચ રમાવવાની છે. વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની અત્યાર સુધી 6 મેચ થઇ છે અને આ તમામ મેચમાં ભારતીય ટીમે બાજી મારી છે. હવે જોવાનું એ છે કે 16 જૂનની મેચમાં કઇ ટીમ જીતે છે.