સેન્ટ્રલ વિજિલન્સ કમિશન(સીવીસી)એ કહ્યું કે તમામ સરકારી ઓફિસર 30 નવેમ્બર સુધી પોતાના ચલ-અચલ સંપત્તિની જાણકારી આપી દે. નહીંતર તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે. જાણકારી આપવામાં મોડું થવા પર નારાજગી વ્યક્ત કરતા સીવીસીએ આ મહિનાની છેલ્લી તારીખની ડેડલાઈન નક્કી કરી છે.
અધિકારીઓ દ્વારા સંપત્તિની જાણકારી સમય પર દાખલ કરવું ફરજિયાત
9 મહિનાથી વધારે સમય છતાં આદેશનું પાલન નહીં
સીવીસીએ આ મહિનાની છેલ્લી તારીખની ડેડલાઈન નક્કી કરી છે
અધિકારીઓ દ્વારા સંપત્તિની જાણકારી સમય પર દાખલ કરવું ફરજિયાત
સીવીસીએ સોમવારે જારી કરેલા આદેશમાં કહ્યું કે સંપત્તિની જાણકારી દાખલ ન કરનારા કર્મચારીઓની વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવાના પુરતા કારણો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયો, વિભાગો અથવા સરકારી સંગઠનોના અધિકારીઓ દ્વારા સંપત્તિની જાણકારી સમય પર દાખલ કરવું સેવા આચરણ નિયમો અંતર્ગત ફરજિયાત છે.
9 મહિનાથી વધારે સમય છતાં આદેશનું પાલન નહીં
આદેશમાં કહેવામાં આવ્યું છે હજું અનેક સરકારી અધિકારીઓએ 2019ની વાર્ષિક સંપત્તિ વિવરણ જમા નથી કરાવ્યું. જ્યારે મોટાભાગના વિભાગે, સંગઠનો અને સરકારી સંસ્થાઓમાં આની છેલ્લા તારીખ 31 જાન્યુઆરી નક્કી હતી. 9 મહિનાથી વધારે સમય છતાં આ આદેશનું 100 ટકા પાલન ન થવા પર આયોગે ચિંતા વ્યક્ત કરી છે.