બોલિવુડના સ્ટાર રણવીર સિંહ અને અર્જૂન કપૂરનો દાઢીવાળો લૂક એટલો ટ્રેન્ડિંગ બની ગયો છે કે સામાન્ય લોકો પણ રોજિંદા જીવનમાં હવે દાઢી રાખવાનું પસંદ કરતા થઇ ગયા છે. આજકાલ તો લગ્નમાં વરરાજા પર દાઢી રાખીને મંડપમાં બેસે છે જેથી ફોટોઝ અને વીડિયોઝ વધારે સારા આવે. વાળ અને દાઢી કપાવવા માટે ખાસ કરીને લોકો રજાનો દિવસ એટલે કે રવિવાર વધારે પસંદ કરતા હોય છે. પરંતું શું તમે જાણો છો કે મહાભારતના અનુંશાસન પર્વમાં જણાવવામાં આવ્યુ છે કે રવિવારના દિવસને સૂર્યનો દિવસ હોય છે અને રવિવારના દિવસે વાળ કપાવવાથી ધન બુદ્ઘિ અને ધર્મનો નાશ થાય છે અને જાણો અઠવાડિયાના કયા દિવસે તમારે વાળ અને દાઢી કપાવવા જોઇએ...
- અઠવાડિયાનો પહેલા દિવસ એટલે કે સોમવારના વાળ કપાવવાનું શુભ માનવામાં આવતું નથી આ દિવસે વાળ કપાવવાથી માનસિક દુર્બલતા આવે છે અને સંતાન માટે હાનિકારક છે.
- સામાન્ય રીતે બધા એવું કહેતા હોય છે કે મંગળવારના દિવસે વાળ કપાવવાથી ઉંમર માટે નુકસાનકારક સાબિત થાય છે અને જેના લીધે અકાળે મૃત્યુ થાય છે.
- બુધવારના દિવસે નખ અને વાળ બંને કપાવવા માટે શુભ માનવામાં આવે છે ધન-ધાન્ય વધે છે અને સંપન્નતા વધી રહે છે.
- ગુરુવારના દિવસે વાળ કપાવવાથી ધન અને લક્ષ્મીનું નુકસાન થાય છે અને માન-સન્માનની હાનિ પણ પહોંચે છે. શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહથી પ્રભાવિત હોય છે જે સૌદર્યનો પ્રતિક માનવામાં આવે છે અને આ દિવસે વાળ અને દાઢી કપાવવું શુભ માનવામાં આવે છે. શુક્રવારે વાળ અને નખ કપાવવામાં આવે તો લાભ અને યશ પ્રાપ્ત થાય છે.
- શનિવારના દિવસે વાળ કપાવવા માટે અશુભ હોય છે જો આ દિવસે વાળ કપાવવામાં આવે તો મૃત્યુનું કારણ બની શકે છે.