2000 રૂપિયાની નોટોને રિટેલ આઉટલેટ્સ અને અન્ય જગ્યા પર એક્સચેન્જ કરાવવામાં પરેશાની થઇ રહી છે. એને ધ્યાનમાં રાખતાં ATM મશીનોમાં 2000 રૂપિયાની નોટ ઉપલબ્ધ નહીં કરાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
ઇન્ડિયન બેંકે નિર્ણય કર્યો છે કે એ પોતાના ATMમાં 2000 રૂપિયાની નોટ નાંખશે નહીં
આ સંબંધમાં બેંકે ગત 17 ફેબ્રુઆરીએ એક સર્કુલર પણ જારી કર્યું છે
ખૂબ જ જલ્દી તમને ATM 2000 રૂપિયાની નોટ નહીં મળશે. હાલ એક જ બેંકે એવું કરવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડિયન બેંકે નિર્ણય કર્યો છે કે એ પોતાના ATMમાં 2000 રૂપિયાની નોટ નાંખશે નહીં. આ સંબંધમાં બેંકે પોતાની તમમા બ્રાંચને જાણકારી આપવામાં આવી છે. ઇન્ડિયન બેંકે આ નિર્ણય પોતાના ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખતા લીધો છે.
1 માર્ચથી નહીં મળે 2000 રૂપિયાની નોટ
ઇન્ડિયન બેંકે કહ્યું કે ગ્રાહકોને 2000 રૂપિયાની નોટ નિકાળ્યા બાદ એને રિટેલ આઉટલેટ્સ અને અન્ય જગ્યા પર એક્સચેન્જ કરાવવામાં પરેશાની થાય છે. આ સંબંધમાં બેંકે ગત 17 ફેબ્રુઆરીએ એક સર્કુલર પણ જારી કર્યું છે. આ સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે 1 માર્ચ 2020 બાદથી ઇન્ડિયન બેંકના ATMમાં 2000 રૂપિયા નોટ રાખનાર કેસેટ્સને ડિસેબલ કરી દેવામાં આવશે.
વધારવામાં આવશે 200 રૂપિયાના નોટોની સંખ્યા
જો કે એવું પણ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે બેંક બ્રાન્ચમાં 2000 રૂપિયાની નોટ ઉપલબ્ધ રહેશે. જો કોઇ કસ્ટમર બેંકથી નિકાસી કરે છે તો એને 2000 રૂપિયાની નોટ આપવામાં આવી શકે છે. બેંકે કહ્યું કે ગ્રાહક 2000 રૂપિયાની નોટ એક્સચેન્જ કરાવવા માટે બ્રાંચમાં આવી રહ્યા છે. એવા ગ્રાહકોને ATM સેવા ઉપલબ્ધ કરાવવાનો કોઇ મતલબ રહેશે નહીં. એને ધ્યાનમાં રાખતા બેંકે નિર્ણય લીધો છે કે ATM મશીનોમાં 200 રૂપિયા નોટોને કેસેટ્સની સંખ્યા વધારવામાં આવશે.
કોઇ અન્ય બેંકે નથી લીધો આ નિર્ણય
અત્યાર સુધી ATMમાં 2000 રૂપિયાની નોટ નહીં રાખવાનો નિર્ણય માત્ર ઇન્ડિયન બેંકે જ લીધો છે. કોઇ અન્ય સરકારી અથવા પ્રાઇવેટ બેંકે આવો કોઇ નિર્ણય લીધો નથી. એક મીડિયા રિપોર્ટમાં ફાઇનેન્શિયલ સૉફ્ટવેર એન્ડ સિસ્ટમ્સના અધ્યક્ષ વી બાલા સુબ્રમણ્યમના હવાલાથી કહેવામાં આવ્યું છે કે એમને આ સંબંધમાં કોઇ જાણકારી આપવામાં આવી નથી. જણાવી દઇએ કે આ કંપની દેશની ઘણી બેંકોના ATM સેવાઓને પ્રબંધન કરે છે.