વિમાનન મંત્રાલયે ગુરુવારે રિફન્ડને લઇને એક એડવાઇઝરી જારી કરી છે. આ એડવાઇઝરી હેઠળ જો લૉકડાઉનના સમય દરમિયાન કોઇ પણ ઘરેલૂ કે આંતરરાષ્ટ્રીય ઉડાનને લઇને ટિકિટ બુક કરાવવી હોય તો એરલાઇન્સ ફૂલ રિફન્ડ આપશે. આ રિફન્ડ માત્ર તે જ ટિકિટોની વચ્ચે હશે, જેણે 25 માર્ચથી 14 એપ્રિલની વચ્ચે બુક કરાવી હોય.
COVID 19 ને કારણે ઘરેલૂ કે આંતરરાષ્ટ્રીય રૂટ પર હવાઇ પરિવહન સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યુ છે. કેન્દ્ર સરકારે 15 એપ્રિલથી 3 મે સુધી લૉકડાઉન વધારી દીધુ છે.
If a passenger has booked a ticket during the first phase of lockdown period (25th March-14th April), the airline shall refund the full amount; refund to be made within a period of 3 weeks from date of request of cancellation: Ministry of Civil Aviation pic.twitter.com/SCOF43MmJN
આ એડવાઇઝરીમાં કહેવામાં આવ્યુ છે કે, લૉકડાઉનના પહેલા ચરણ દરમિયાન જો યાત્રીએ ઘરેલૂ કે આંતરરાષ્ટ્રીય ટિકિટ બુક કરાવી છે અને જો એરલાઇન્સને તેણુ પેમેન્ટ મળી ગયુ છે, તો આ ટિકિટ કેન્સલ કરવા પર પેસેન્જરને ફૂલ રિફન્ડ મળશે. એરલાઇન્સ પર કેન્સિલેશન ચાર્જ અથવા તો અન્ય કોઇ ચાર્જ કાપવામાં આવે. કેન્સિલેશન રિક્વેસ્ટને 3 અઠવાડિયાની અંદર રિફન્ડ કરવાની રહેશે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલના દિવસથી લૉકડાઉનને 3 મે સુધી વધારી દીધુ છે પ્રધાનમંત્રીએ એવું પણ કહ્યું છે કે, ''જે જગ્યાઓ હોટસ્પોટમાં ફેરવાય તેવી શંકા છે ત્યાં કડક નજર રાખવામાં આવશે. તેથી આગામી એક સપ્તાહ સુધી કડક વલણ અપનાવવામાં આવશે. 20 એપ્રલ સુધી દરેક શહેર, જિલ્લા અને રાજ્ય પર કડક નજર રાખવામાં આવશે.''.