દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ લોકોને જાહેરમાં મૂકવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશન પર ફોન ચાર્જ કરવા સામે ચેતવણી આપી છે. બેન્કે પોતાના ગ્રાહકોને સલાહ આપતાં જણાવ્યું છે કે ચાર્જિંગ સ્ટેશન પર ફોન ચાર્જ કરતાં પહેલાં બે વખત વિચાર કરજો, કારણ કે માલવેર તેમના ફોનને ઇન્ફેક્ટ કરી શકે છે અને માત્ર થોડી જ ક્ષણમાં તેમના બેન્ક ખાતાને ખાલી કરી શકે છે, કારણ કે આ રીતે ચાર્જ કરવાથી ગ્રાહકોના ડેટા અને પાસવર્ડ તુરત હેકર્સ પાસે પહોંચી જાય છે.
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ લોકોને જાહેરમાં મૂકવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશન પર ફોન ચાર્જ કરવા સામે ચેતવણી આપી
જુસ હેકિંગ નામના સાયબર એટેકથી તમારા ખાતામાં પડેલા તમામ નાણાં ઉઠાવી શકે છે
ચાર્જિંગ પોર્ટને યુએસબી દ્વારા ડેટા કનેક્શન તરીકે પણ ઉપયોગ કરાય છે
જુસ હેકિંગ નામના સાયબર એટેકથી તમારા ખાતામાં પડેલા તમામ નાણાં ઉઠાવી શકે છે
એસબીઆઇએ ટ્વિટ કરીને સલાહ આપી છે કે ફ્રી ફોન ચાર્જિંગ સ્ટેશન પર તમારો ફોન ચાર્જ કરશો નહીં, કેમ કે તેનાથી તેમના ફોનમાં માલવેર ઘૂસી શકે છે. બેન્કે ચેતવણી આપતા જણાવ્યું છે કે જુસ હેકિંગ નામના સાયબર એટેકથી તમારા ખાતામાં પડેલા તમામ નાણાં ઉઠાવી શકે છે અને તમારું ખાતું હેકર્સ તળિયાઝાટક કરી શકે છે. હેકર્સ ચાર્જિંગ પોર્ટ દ્વારા હેકિંગને અંજામ આપે છે. ચાર્જિંગ પોર્ટને યુએસબી દ્વારા ડેટા કનેક્શન તરીકે પણ ઉપયોગ કરાય છે અને તેના દ્વારા માલવેર અંદર નાખીને તમામ ડેટાની કોપી કરી લે છે.