સુરતમાં કસ્ટોડિયલ ડેથ મામલે ફરાર PI, PSI સહિત 8 પોલીસકર્મી સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરાયા છે. અને દેશના અન્ય રાજ્યોને પણ પોલીસકર્મીઓની માહિતી મોકલવામાં આવી છે. આરોપી પોલીસકર્મીઓ 30 તારીખે ફરાર થયા હતા.
સુરતના ખટોદરા પોલીસ મથકમાં ચોરીના આરોપીને ઢોર માર મરાયા બાદ મોત નિપજ્યું હતું. ત્યારે ઘટનાના 8 દિવસ બાદ પણ હજુ સુધી આરોપી પોલીસકર્મીઓ હાથ લાગ્યા નથી. હાલ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ મામલે આરોપીઓ વિદેશ ભાગી ન જાય તે માટે લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ પહેલા રાજ્યભરના એરપોર્ટ પર નજર રાખવાનો આદેશ કરાયો હતો, જે બાદમાં હવે દેશના તમામ એરપોર્ટ પર નજર રાખવાના આદેશ કરાયા છે. બીજી તરફ પોલીસે તમામ પોલીસ કર્મીઓના વતનમાં પણ તપાસ કરી છે.
રાજ્યમાં પોલીસની કામગીરીને લઇને VTVના ગંભીર સવાલ
પોલીસ જ કેમ કરી રહી આરોપીઓ જેવા કામ?
સુરતમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો, 8 દિવસ વિત્યા છતાં પોલીસકર્મીઓ હજુ કેમ નથી પકડાતા?