જો તમારા પેટમાં ગરબડ હોય અને તે દૂર ન થતી હોય તો તમે મીઠા લીમડાની આ બે રેસિપી ટ્રાય કરો પેટનો દુખાવો દુર થઈ જશે.
મીઠા લીમડાનું શરબત
મીઠા લીમડાથી વઘારેલી છાશ
પેટની ગરબડમાં આપશે આરામ
મીઠા લીમડામાં ઘણાં ઔષધીય ગુણો રહેલાં છે. જેમાંનો એક ગુણ પેટમાં પેદા થતી ગરબડને દૂર કરે છે. ખોરાક પ્રત્યે રુચિ ન થવી, ઉબકા આવવા, ઉલટી થવી, ખોરાકનું પાચન ન થતાં પેટ ફુલી જવું- વગેરે પેટની સમસ્યાઓમાં મીઠા લીમડાનો ઉપયોગ કરી શકાય છે.
મીઠા લીમડાનું શરબત
મીઠા લીમડાનાં દસ પાંદડાંનો બે ચમચી રસ અને એક ચમચી લીંબુનો રસ ઠંડા પાણીમાં મેળવીને તેમાં જરૂર પૂરતી સાકર નાખવી. તેમાં મરીનો પાવડર પણ ઉમેરવો. આ શરબત પીવાથી પેટની સમસ્યાઓનું નિવારણ કરી શકાય છે.
મીઠા લીમડાથી વઘારેલી છાશ
મીઠું, જીરુ, હિંગ અને મીઠા લીમડાનાં પાંદડાંથી વઘારેલી છાશ જમતી વખતે લેવાથી મરડો, મ્યુણે કોલાયટીસ જેવી સમસ્યાઓમાં થોડી રાહત થાય છે.