મોટા પાયે નાણાંની હેરફેર અને ગોટાળા કરતી કંપનીઓની હરકતો પર લગામ કસવા રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હવે કોર્પોરેટ બોરોઅર્સનાં કરંટ એકાઉન્ટ ખોલવા અને તેના ઓપરેશનના નિયમોમાં કડક જોગવાઇ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આરબીઆઇએ આ સંદર્ભમાં બેન્કોને એક ડ્રાફ્ટ સર્ક્યુલર ઇશ્યૂ કર્યો છે. જોઇએ આ અહેવાલમાં.
આરબીઆઇના સંદર્ભમાં બેન્કોને એક ડ્રાફ્ટ સર્ક્યુલર ઇશ્યૂ કર્યો છે, આ સર્ક્યુલરમાં જણાવાયું છે કે, કરંટ એકાઉન્ટ લોન આપનાર ગ્રૂપની લીડ બેન્કમાં જ ખોલાવી શકાશે અને કલેક્શન એકાઉન્ટ ધરાવતી બીજી બેન્કોએ દિવસના અંતે ફંડ લીડ બેન્કમાં જે વર્તમાન કરંટ એકાઉન્ટ હોય તેમાં ટ્રાન્સફર કરવું પડશે.
આરબીઆઇએ એવું સૂચન કર્યું છે કે આ નિયમ એવી કંપનીઓનાં એકાઉન્ટ્સ પર લાગુ પડશે, જેમણે બેન્કો પાસેથી રૂ. ૫૦ કરોડ કરતાં વધુ લોન લીધી હોય અથવા ક્રેડિટ ફેસિલિટી પ્રાપ્ત કરી હોય. એક સિનિયર બેન્કરે જણાવ્યું હતું કે આરબીઆઇને એવો શક છે કેટલીયે કંપનીઓ કલેક્શન એકાઉન્ટ બીજી બેન્કો પાસે ખોલાવે છે કે જેથી લોન આપનાર ગ્રૂપની લીડ બેન્ક લોન પર વ્યાજ વસૂલવા માટે તે રકમ જપ્ત કરી ન શકે અથવા બોરોઅર પર દબાણ લાવી ન શકે.
ખાસ કરીને સ્ટ્રેસ્ડ એકાઉન્ટ અંગે આવું બનતું હોય છે. કલેક્શન એકાઉન્ટનો ઉપયોગ વેચાણ દ્વારા અને અન્ય કામગીરી દ્વારા પ્રાપ્ત થયેલી રકમ જમા કરવા માટે કરવામાં આવે છે. સૂચિત નિયમ લાગુ પાડવાથી એવા કેટલાય મધ્યમ અને નાના કદના બેન્કોના કરંટ એન્ડ સેવિંગ્સ એકાઉન્ટની સંખ્યા ઘટવાનો પણ ડર છે. ખાસ કરીને એવી બેન્કોમાં જે મુખ્યત્વે લીડ બેન્ક હોતી નથી.