કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂત વિરોધી પ્રદર્શન માટે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું, જે લોકો ખેડૂતોના શુભેચ્છક બનીને તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે જનતા તેમને પાઠ ભણાવશે.
કોંગ્રેસના મુખ્યમંત્રીએ કહ્યું, રાષ્ટ્રપતિ હાલમાં દબાણમાં છે
ખેડૂત આંદોલનને લઈને કોંગ્રેસના પ્રતિનિધિમંડળએ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
કૃષિ મંત્રીએ વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું,' જનતા તેમને પાઠ ભણાવશે'
છેલ્લા લગભગ એક મહિનાથી નવા કૃષિ કાયદાઓને લઇને દિલ્હીમાં અને આસપાસના વિસ્તારમાં હજારોની સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતો નો વિરોધ ચાલી રહ્યો છે. દરમિયાન, રાહુલ ગાંધીની આગેવાની હેઠળના કોંગ્રેસના પ્રતિનિધિ મંડળએ એક દિવસ અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે મુલાકાત કરી હતી, કૃષિ સુધારણા કાયદાના વિરોધમાં 2 કરોડ હસ્તાક્ષરો સોંપ્યા બાદ હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે શુક્રવારે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ઉપર હાલમાં ભારે દબાણ છે.
વડાપ્રધાનમાં ખેડૂતોનો સામનો કરવાની હિંમત નથી : અધીર રંજન ચૌધરી
સીએમ ગેહલોતે કહ્યું,'પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રીઓએ રાષ્ટ્રપતિને મળવાની વિનંતી કરી. રાષ્ટ્રપતિ પર એટલું દબાણ છે કે ચાર રાજ્યોના મુખ્ય પ્રધાનો પણ ઈચ્છવા છતાંય તેમને મળી શકતા નથી. આ સાથે જ અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે વડા પ્રધાનમાં વિરોધ કરનારા ખેડૂતો નો સામનો કરવાની હિંમત નહોતી.
અહીં શુક્રવારે પીએમ મોદી એ પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના હપ્તા તરીકે 9 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા મોકલ્યા હતા. આ પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, મોદીજી વિરોધ કરી રહેલા ખેડૂતો નો સામનો કરવાની હિંમત ધરાવતા નથી. સરકાર 18 હજાર કરોડ રૂપિયા ખેડૂતો ના ખાતામાં ટ્રાન્સફર કરવાની વાત કરી રહી છે. પરંતુ, હું કહેવા માંગુ છું કે હજુ પણ અવરોધ છે અને સરકાર તરફથી મોકલેલી રકમ બધા ખેડૂતો ના ખાતામાં પહોંચતી નથી. "
કૃષિ મંત્રીએ કહ્યું - જે લોકોને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે તેમને જનતા પાઠ ભણાવશે
કૃષિમંત્રી તોમરે કહ્યું હતું કે ખેડૂતો ને ગુમરાહ કરવા વાળાને જનતા પાઠ ભણાવશે. વધુમાં તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળ સિવાય અન્ય તમામ રાજ્યો પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે સંકળાયેલા છે. અત્યાર સુધીમાં 96 હજાર કરોડ રૂપિયા ખેડૂતો ને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં આ યોજનાનો લાભ 70 લાખ ખેડુતો ને મળશે. મેં તેમાં જોડાવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર પણ લખ્યો હતો.