દેશમાં ઘણા રાજ્યોમાં છેલ્લા કેટલાક દિવસોથી ATMમાં કેશ ઉપલબ્ધ ના હોવાને કારણે ફરીથી નોટબંધી જેવી સમસ્યાનો માહોલ બનવા લાગ્યો છે. લોકોની વધતી પરેશાનીને જોતા અંતે રિઝર્વ બેંક અને સરકારે આગળ આવવું પડ્યું છે. રિઝર્વ બેંકના સૂત્રોનું કહેવું છે કે હવે અર્થવ્યવસ્થામાં રોકડની હાલાત નોટબંધીના પહેલા ફેઝથી પણ સારી છે એવામાં આ સંકટનું કારણ બીજું છે.
ગુજરાત સહિત ભાજપ શાસિત 4 રાજ્યોમાં ATMમાં રોકડનું સંકટ ઘેરુ બનતું જાય છે. ગુજરાત મધ્યપ્રદેશ બિહાર અને ઉત્તર પ્રદેશમાં એટીએમમાં રોકડ નહી હોવાથી લકોને ભારે હાલાકી પડી રહી છે.
એક મળતાં અહેવાલ મુજબ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સંકટને લઇને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. તો બીજી તરફ મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહે રોકડના સંકટને એક સાજિશ ગણાવી હતી. ભાજપ શાસિત ચારેય રાજ્યોના અનેક ગામોના એટીએમમાં રોકડની અછત જોવા મળી રહી છે.
આ ઉપરાંત કર્ણાટકમાં ચૂંટણી નજીક છે એટલે ત્યાં પણ રોકડની માંગ વધી ગઇ છે. પાકના સમયે ખેડૂતો દ્વારા પણ રોકડની નિકાસ વધી જાય છે. ઘણા રાજ્યોમાં ચૂંટણી થનાર છે એના કારણે આ સમસ્યા પર તત્કાલ રાજકારણ પણ શરૂ થઇ ગયું છે.