ઘાટીમાં વધારાની સુરક્ષા બળોની તૈનાતી વચ્ચે જમ્મૂ અને શ્રીનગરમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે સુરક્ષાને ધ્યાનમાં લઇને જમ્મૂમાં 4 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યાં છે. જ્યારે આજરોજ સવારથી ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. જ્યારે જમ્મૂ, શ્રીનગર, કઠૂઆ, કિશ્તવાડ, કુપવાડા અને પૂંછમાં સ્કૂલ-કોલેજ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે મોબાઇલ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
કશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં શું થયું ?
કાશ્મીર મુદ્દે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. જ્યારે કાશ્મીરમાં પણ સ્થાનિક નેતાઓની સર્વદળીય બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે જમ્મૂ-કાશ્મીરમાં અલગાવવાદી નેતાઓનો નજરકેદ કરવામાં આવ્યાં છે. જ્યારે ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફતીને નજરકેદ કરાયાં છે. જ્યારે કાશ્મીરમાં 10માંથી 9 જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. કાશ્મીરમાં ઇન્ટરનેટ સેવા સાથે કેબલ ટીવી સેવા પણ બંધ કરાઇ છે.
કશ્મીરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓને સેટેલાઈટ ફોન આપવામાં આવ્યાં છે. જ્યારે જમ્મૂ-કાશ્મીરમાં તમામ શાળા-કોલેજો બંધની જાહેરાત કરવામાં આવી છે. કાશ્મીર યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે જમ્મૂ-કાશ્મીરમાં 144 લગાવી દેવાઇ છે. જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલે આપાતકાલી બેઠક બોલાવી છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ રાજ્યપાલે ડીજીપી, આઇજી, સીએસ સાથે બેઠક યોજી હતી.
કાશ્મીરમાંથી મોટાભાગના યાત્રાળુઓ પરત ફરી ગયા છે. રેપિડ એકશન ફોર્સ સહિત 30 હજારથી વધુ જવાનો તૈનાત કરાયાં છે. જ્યારે કાશ્મીરની એક દુકાનમાંથી 15 ગ્રેનેડ મળી આવ્યાં હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. જ્યારે પીડીપીના સાંસદે રાજ્યસભામાં ચર્ચા માટે નોટિસ આપી છે.
મહેબૂબાને યાદ આવ્યા વાજપેયી
જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને નજરકેદ કર્યા બાદ તેમણે ટ્વીટ કર્યું. મહેબૂબાએ હાલની સ્થિતિને લઈને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને યાદ કર્યા અને લખ્યું કે ભાજપના નેતા હોવા છતાં અટલ બિહારી વાજપેયીની કશ્મીરના લોકો સાથે સહાનુભૂતિ હતી અને તેમને કશ્મીરના લોકોને પ્રેમ મળ્યો. આજે તેમની ખોટ અમને વર્તાઈ રહી છે.
Vajpayee ji despite being a BJP leader empathised with Kashmiris & earned their love. Today we feel his absence the most.