કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે CAનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે.
CA, NIC, CSIR, SSC સહિતની પરીક્ષા રાબેતા મુજબ લેવાશે
કોઇપણ વ્યક્તિ કાયદો ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે
અમદાવાદમાં કર્ફ્યૂ માટેના નિયમો
કર્ફ્યુ દરમિયાન પણ તેઓની પરીક્ષા લેવાશે. અમદાવાદ શહેરમાં કર્ફ્યુ દરમિયાન અમદાવાદથી સીએની પરીક્ષાના તમામ ઉમેદવારોને 21 અને 22 નવેમ્બરના રોજ પરીક્ષા માટે જવાની મંજૂરી આપવામાં આપેલ છે
શહેરમાં કર્ફ્યુના બે દિવસ દરમિયાન CA, NIC, CSIR, SSC સહિતની પરીક્ષા આપવા જઈ રહેલા ઉમેદવારોને એડમિશન કાર્ડ રજૂ કરીને પરીક્ષા કેન્દ્ર પર જવા દેવામાં આવશે. આ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે અને વિદ્યાર્થીઓ પરીક્ષા માટેનું એડમિટ કાર્ડ દેખાડીને પરીક્ષા સેન્ટર પર પરીક્ષા આપવા માટે પહોંચી શકશે.
શું કહે છે સરકાર?
કર્ફ્યૂમાં પરીક્ષા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતુ કે, ભરતી બોર્ડની પરીક્ષાઓ છે, ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષા છે અથવા અન્ય કોઈ પરીક્ષા છે અથવા ઈન્ટરવ્યુ હોય તો પરીક્ષાની રિસિપ્ટ બતાવશે તો કરફ્યુમાં તેમને આવવા-જવાની મંજૂરી આપવામાં આવી છે. એરપોર્ટ ઉપરથી કે રેલવે સ્ટેશનથી કોઈ બહારથી આવે કે જાય છે તો તેમના માટે પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. મેડિકલ સર્વિસ, દવાખાના અને અન્ય આરોગ્યની સેવાઓ આપતા હોય તેમને પણ આવવા જવાની મંજૂરી આપવામાં આવી છે. હાઈવે પર બધા જ પ્રકારનો વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે. સરકારનો હેતુ છે કે બિનજરૂરી ભીડ એકઠી ન થાય. સમય પસાર કરવા બહાર ન નીકળે અને સલામત રીતે ઘરમાં જ રહે તે માટે આ પગલા લેવામાં આવ્યા છે.
કોઇપણ વ્યક્તિ કાયદો ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.
કોરોનાનું સંક્રમણ વધતા સરકારે કર્ફ્યુનો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં આજે રાત્રના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ થયું છે. આ જ રીતે અન્ય 3 શહેરોમાં રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રીના 9 વાગેથી કર્ફ્યુ લાગૂ કરવામાં આવ્યું છે. લોકોને કોરોનાની ગાઇડલાઇનનું વ્યકિતગત પાલન કરવા સૌ જણાવી રહ્યાં છે. તેમજ પોલીસ અત્યારથી એલર્ટ થઇ ગઇ છે. કોઇપણ વ્યક્તિ કાયદો ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદમાં કર્ફ્યૂ માટેના નિયમો
અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામુ
લગ્નપ્રસંગના આયોજનને આપી રાહત,મળશે મંજૂરી
સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજૂરી અનુસાર લોકો એકઠા થઈ શકશે
અંતિમવિધીમાં માત્ર 20 લોકોને મળશે મંજૂરી
રેલવે અને હવાઇ મુસાફરી કરનાર લોકોને મળશે છૂટ
તમામ તબીબી સેવાઓ કર્મચારીઓને મળશે છૂટ
અતિઆવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ચાલુ રહેશે
ATM -બેંકિગ સેવા ચાલુ રહેશે
દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે
દવાઓની હોમ ડિલીવરી કરતા કર્મચારીઓને મળશે છૂટ
ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના કર્મચારીઓને મળશે છૂટ