અમદાવાદમાં ગઈકાલ રાતથી કર્ફ્યૂ મૂકવામાં આવ્યો છે ત્યારે બહારગામથી આવતા મુસાફરો અટવાઈ ન પડે એ માટે કાલુપુર રેલવે સ્ટેશનથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હોવા છતાં કાલુપુર રેલવે સ્ટેશન પર લોકો અટવાઈ પડ્યા છે.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ
કર્ફ્યૂ દરમિયાન બહારથી આવેલા મુસાફરોની ભીડ જોવા મળી
AMTS બસોની વ્યવસ્થા છતાં મુસાફરોનો જમાવડો
અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. કર્ફ્યૂ દરમિયાન જોવા મળી ભીડ ભારે પડી શકે છે. બહારથી આવેલ મુસાફરોની ભીડ જામી છે. AMTS બસોની વ્યવસ્થા છતાં મુસાફરોનો જમાવડો થયો છે.
AMTS બસ મારફતે મુસાફરોને ઘર સુધી પહોંચાડાશે
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર તેમને ઘરે પહોંચવા માટે 40 સ્પેશિયલ બેસની સુવિધા કરવામાં આવી છે. નીચે આપેલા લિસ્ટમાં તમે કયા વિસ્તાર માટે કેટલી બસ ફાળવવામાં આવી છે. 34 બસો ફાળવાઈ છે અને 6 બસો એકસ્ટા મૂકવામાં આવી છે.
આ રહ્યું લિસ્ટ
એરપોર્ટે પણ કર્યુ ટ્વીટ
કર્ફ્યૂની જાહેરાત બાદ અમદાવાદ એરપોર્ટ દ્વારા ટ્વીટ કરીને જાણ કરવામાં આવી છે કે ફ્લાઈટના શિડ્યુલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મુસાફરે તેમના સમય મુજબ એરપોર્ટ પહોંચવાનું રહેશે. મુસાફરી કરનારા વ્યક્તિએ એર ટિકિટ અથવા બોર્ડિંગ પાસ અને સાથે આઈડી પ્રુફ રાખવું પડશે. આ ઉપરાંત જો કોઈ સંબંધી કે પરિવારના કોઈ સભ્યને એરપોર્ટ કે રેલવે સ્ટેશન લેવા માટે જઈ રહ્યા હોય તો તેમણે સંબંધીની ટિકિટ વોટ્સએપમાં મંગાવીને પોલીસને બતાવશે તો તેઓ તેમને લેવા માટે જઈ શકશે.
With regards to the curfew starting at 9PM, we would like all passengers to note:
-There have been no changes made to flight schedule.
-Passengers planning to avail taxi services must carry air tickets/boarding cards & photo ID proof.