ઘણા લોકો કમરના દુ:ખાવાન કારણે પરેશાન છે. ઓફિસમાં 8 કલાકથી વધારે બેસી રહેવાના કારણે ખભા અને હિપ્સ અકડાઈ જાય છે. તેમજ ગરદન અને કમરના દુખાવાની સમસ્યા શરૂ થઈ જાય છે.
એક રિસર્ચ મુજબ કમરના દુખાવાના કારણે લગભગ 540 મિલિયન લોકો પીડિત છે. આ સમસ્યાને સમગ્ર દુનિયામાં વિકલાંગતાનું મુખ્ય કારણ જણાવાયુ છે. આજે અમે તમને આ દુ:ખાવાથી છૂ્ટકારો મેળવવાનો એક રામબાણ ઉપાય જણાવશુ. જેની મદદથી ચપટી વગાડતા કમરનો દુઃખાવો ગાયબ થઈ જશે.
આખા દિવસનો થાક સહન કરવા માટે તમારે ખાવામાં વધારેમાં વધારે પૌષ્ટિક આહાર લેવો જોઈએ. કારણ કે પૌષ્ટિક આહારમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે. જે શરીર અને હાડકાને મજબૂત કરે છે.
વધારે બેસી રહેવાને વૈજ્ઞાનિકોએ 'નવું ધ્રૂમપાન'નું નામ આપ્યુ છે કારણ કે તેનાથી શરીરમાં મેદસ્વીપણુ ડાયાબિટીસ અને હૃદયની બીમારીની સાથે-સાથે કેન્સર જેવી બીમારી થવાની શક્યતા વધી જાય છે.
કમરમાં દુ:ખાવા જેવી સમસ્યાથી તમે સરળતાથી છુટકારો મેળવી શકો છો. બસ ઓફિસ ટાઈમમાં થોડો સમય નીકાળી પોતાની ખુર્સીમાં બેઠા-બેઠા કેટલીક એક્સરસાઈઝ કરવી જેથી દુ:ખાવામાં રાહત મળે છે.
વૈજ્ઞાનિકોના રિસર્ચ મુજબ જો શક્ય હોય તો એક જ સ્થિતિમાં વધારે સમય બેશી ન રહેવુ. આ ઉપરાંત પૌષ્ટિક આહાર લેવો અને ખુર્સીમાં બેઠા-બેઠા થોડી એક્સરસાઈઝ કરવી. જેથી તમારો દુઃખાવો ગાયબ થઈ જશે.