ઓડિશા અને છત્તીસગઢના કેટલાક જનજાતિ એરિયામાં ખાવામાં આવતી લાલ કીડીઓની ચટણી જલ્દી જ કોવિડ-19ના ઇલાજમાં ઉપયોગમાં લેવામાં આવી શકે છે. આશા છે કે આયુષ મંત્રાલય આ ચટણીને દવા તરીકે મંજૂરી આપી શકે છે. મહત્વનું છે કે, ગયા ગુરુવારે ઓડિશા હાઇકોર્ટે આયુષ મંત્રાલયને આ વાત પર નિર્ણય લેવા માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે.
લાલ કીડીઓની ચટણીથી મટશે કોરોના?
કોવિડ-19ની વેક્સિન પહેલા આ હશે દવા?
ઓડિશામાં ખવાય છે લાલ કીડીની ચટણી
હાઇકોર્ટે આપ્યો સમય
એક અંગ્રેજી અખબાર પ્રમાણે ઓડિશા હાઇકોર્ટે આયુષ મંત્રાલય અને કાઉન્સિલ ઓફ સાઇન્ટિફીક એન્ડ ઇંડસ્ટ્રીયલ રિસર્ચને મહાનિદેશકોને જલ્દી જ આ વાત પર નિર્ણય લેવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ખાસ વાત તો તે છે કે લાલ કીડીઓની ચટણીનો ઉપયોગ તાવ, શરદી-ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ હોય તો તેના ઇલાજમાં કામ કરે છે.
કેવી હોય છે આ ચટણી ?
આ ચટણીમાં ખાસ કરીને લાલ કીડીઓ અને લીલા મરચા હોય છે. હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી પ્રમાણે લાલ કીડીના પ્રભાવને લઇને કોર્ટને દખલ આપવાની વાત પણ કરવામાં આવી હતી. કોર્ટે પણ આ સંબંધમાં અરજી દાખલ કરી લીધી છે.
આ ચટણી ખાવાથી ફોર્મિક એસિડ, પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી-12, ઝીંક અને આયરન હોય છે. આ દરેક વસ્તુઓ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. ઓડિશા, હિમાચલ પ્રદેશ, મણિપૂર, નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયમાં લાલ કીડીઓને ખાવાનું ચલણ છે અને બિમારીઓનું ઇલાજ કરે છે. આ એરિયામાં કદાચ એટલા માટે જ કોવિડ-19ના કેસ નથી આવી રહ્યાં.