દેશમાં મસાલાના ઉપયોગનું અલગ જ મહત્વ છે. મસાલો માત્ર સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ જોરદાર છે. ખાવામાં કેટલાક પકવાન તો આ નામ પરથી ઓળખાય છે જેમ કે વધારે પસંદ કરવામાં આવતો જીરા રાઇસ. જીરામાં ઘણા પ્રકારના ગુણો છુપાયેલા રહે છે જેનાથી તમારી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ દૂર થઇ શકે છે. જીરા કાળા સફેદ અને ઘાટા પીળા રંગમાં ઉપલબ્ધ હોય છે.
જીરા શરીરના દરેક અંગો માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે જીરાના કેટલાક દાણી પોતાના ડાયટમાં સામેલ કરી લો છો તો એના ઘણા ફાયદા મળશે. પરેશાની ગમે તેવી હોય જીરું તરત જ અસર દેખાડે છે. દરરોજ 10 દિવસ સુધી ખાવાથી ઘણા ફાયદા મળે છે. એની અસર તરત જોવા મળશે.
આ છે જીરાના જોરદાર ફાયદા:
જીરું પાચનતંત્રને દુરુસ્ત રાખે છે એટલા માટે એનાથી પેટની સમસ્યા ઠીક થાય છે.
ગેસને પણ ખતમ કરે છે. કબજિયાતમાં પણ ખૂબ જ લાભદાયક છે. લોહીની ખામી અથવા ગંદકી થતા નિકળતા ખીલ અને ફોડલીઓને ઠીક કરે છે.
જીરામાં વિટામીન E ભરપૂર માત્રામાં હોય છે જેનાથી આ સ્કીનને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદરૂપ થાય છે.
જીરામાંથી મળી આવતા વિટામીન E સ્કીન પર થતી કરચલીઓની અસરને ઓછી કરે છે.
જીરામાં સ્કીન સંબંધી બિમારીઓ જેમ કે એક્ઝિમાને ઠીક કરવાના ગુણ હોય છે. એટલા માટે એનો લેપ પણ લગાવવામાં આવે છે.
3 ગ્રામ જીરુ અને 125 મિ.ગ્રા. ફટકડી પોટલીમાં બાંધીને ગુલાબ જળમાં પલાળી દો. આંખમાં દુખાવો થવા પર અથવા લાલ થવા પર આ રસને નાંખવાથી આરામ મળે છે.
દહીંમાં શેકેલા જીરાનું ચૂર્ણ મિક્સ કરીને ખાવાથી ડાયરિામાં આરામ મળે છે.
જીરાને લીંબુના રસમાં પલાળીને મીઠું મિક્સ કરીને પીવના ઉબકા આવવાના બંધ થઇ જાય છે.
જીરામાં થોડું વિનેગાર નાંખીને ખાવાથી એડકી બંધ થઇ જાય છે.
જીરાને ગોળમાં મિક્સ કરીને ગોળીઓ બનાવીને ખાવાથી મેલેરિયામાં લાભ થાય છે.
એક ચુટકી કાચું જીરું ખાવાથી એસિડિટીમાં તરત રાહત મળે છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે એક નાની ચમચી પીસીને જીરું દિવસમાં બે વખત પાણીની સાથે લેવાથી લાભ થાય છે.