વૈજ્ઞાનિક આધાર પર જોવા જઇએ તો સૂર્ય ગ્રહણ ત્યારે લાગે છે જ્યારે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે.
2 જુલાઇ 2019 એ વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ થવાનું છે. સૂર્ય ગ્રહણને આ ખગોળીય ઘટના દક્ષિણ અમેરિકા, પ્રશંસાક મહાસાગર અન દક્ષિણમધ્ય અમેરિકા, એટલાન્ટિકા અને અર્જેન્ટીનામાં જોઇ શકાશે. ભારતમાં જોવા મળશે નહીં. જો કે રાશિઓ પર એની અશર પડશે. ભારતીય સમય અનુસાર 2 જુલાઇ રાતે 10:25 મિનીટ પર ગ્રહણની શરૂઆત થશે જ્યારે રાતે 3 વાગ્યે 21 મીનિટ સુધી ચાલશે. ગ્રહણ કાલ આશરે 4 કલાક સુધી ચાલશે.
આ છે સૂતકનો સમય
સૂર્યગ્રહણ પહેલા સૂતકની શરૂઆત આશરે 10:25 એ થઇ જશે. જો કે ભારતમાં સૂર્યગ્રહણ નહીં જોવા મળે પરંતુ રાશિઓ પર એની ખરાબ અસર ના પડે એના માટે 3 જુલાઇએ સવારે સૂર્ય ઊગે તે પહેલા નિત્યકર્મ અને સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરો અને હાથ જોડીને એમના શુભ પ્રભાવની પ્રાર્થના કરો.
સૂર્ય ગ્રહણથી જોડાયેલી માન્યતા
માનવામાં આવે છે કે ગ્રહણ કાળમાં કોઇ પણ માંગલિક અથવા શુભ કામ કરવું જોઇએ નહીં, આ સમયે ભગવાનની પૂજા કરવા પર પણ મનાઇ છે.
આ કારણે થાય છે સૂર્યગ્રહણ
વૈજ્ઞાનિકના આધાર પર જોવા જઇએ તો સૂર્ય ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે. એનાથી ચંદ્રથી સૂર્ય પૂરી રીતે અથવા આશિંક રીતે ઢંકાઇ જાય છે. ત્યારે ચંદ્રનો પડછાયો ધરતી પર પડે છે. આ ખગોળીય ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.