શાંત મનથી જયકારો કરતાં ઓછામાં ઓછા 8 વખત ભગવાનની પરિક્રમા કરવી જોઇએ.
હિંદુ ધર્મ શાસ્ત્રોમાં મંદિરની પરિક્રમા કરવા ખૂબ જ શુભ ફળદાયક કહેવાય છે. માન્યતા છે કે મંદિરની પરિક્રમા કરવાથી વ્યક્તિનું મન શુદ્ધ થાય છે અને એમાંથી સકારાત્મકતા આવે છે. સનાતન ધર્મની પૌરાણિક કથાઓ પ્રમાણે એક વખત તમામ દેવતાઓ અને ભગવાનમાં ખુદને સૌથી મહાન દેખાડવાની સ્પર્ધા લાગી હતી. એવામાં નક્કી થયું કે સૌથી પહેલા પૉથ્વીની પરિક્રમા કરીને પાછા આવશે એ જ જીતશે.
એવામાં ગણેશ ભગવાને પોતાના માત પિતાની પરિક્રમા કરી, એમને જ વિજયી માની લેવામાં આવ્યા. ત્યારથી એવું માનવામાં આવ્યું હતું કે ભગવાનની પરિકર્મા કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે.
ભગવાનની પરિક્રમા કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખો કે હંમેશા મૂર્તિની ડાબી બાજુથી પરિક્રમા કરો. શાંત મનથી જયકારો કરતાં ઓછામાં ઓછા 8 વખત ભગવાનની પરિક્રમા કરવી જોઇએ.
મંદિરની પરિક્રમા કરવી માત્ર એક ધાર્મિક રિવાજ નથી પરંતુ એની પાછળ વિજ્ઞાનથી જોડાયેલું પણ એક કારણ છે. માન્યતા છે કે મંદિરમાં રોજ ભગવાનની પૂજા અર્ચના થાય છે એટલા માટે ત્યાંનો માહોલ ખૂબ જ સકારાત્મક હોય છે. વ્યક્તિ જ્યારે આ ઊર્જાના સંપર્કમાં આવે છે તો ખૂબ જ સુકૂન મહેસૂસ કરે છે.