અપહરણ અને હત્યાના આરોપમાં દેવરિયાના એક યુવકને આખી જવાની ગોપાલગંજ જેલમાં પસાર કરવી પડી. જ્યારે તેની ઉંમર 56 વર્ષની થઇ તો કોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યો. અધિક જિલ્લા અને સેશન્સ જજ - 5 વિશ્વવિભૂતી ગુપ્તાની કોર્ટે ગુરૂવારે તેને દોષમુક્ત કરાર આપી નિર્દોષ જાહેર કર્યો.
અપહરણ અને હત્યાના આરોપમાં કોર્ટે યુવકને નિર્દોષ જાહેર કર્યો
સેશન્સ જજે પોલીસની ભૂલ પર પણ ટિપ્પણી કરી
પોલીસ સાક્ષી રજૂ ના કરી શકતા કોર્ટે આધેડને નિર્દોષ જાહેર કર્યો
કોર્ટે પોલીસની ભૂલ પર પણ ટિપ્પણી કરી
કોર્ટનો નિર્ણય સાંભળતા આધેડ થઈ ગયેલો આ વ્યક્તિ ખૂબ રડવા લાગ્યો. કોર્ટે પોલીસની ભૂલ પર પણ ટિપ્પણી કરી છે. ટ્રાયલ દરમ્યાન પોલીસ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ ના રાખી શકી અને કેસના આઈઓ અને પોસ્ટમોર્ટમ કરનારા ડૉકટર જુબાની આપવા માટે આવ્યાં. પોલીસ ચાર્જશીટ પણ ના સોંપી શકી. આ મામલો 1993નો છે. યુપીના દેવરિયાના બીરબલ ભગતની ભોરે થાનાના હરિહરપુર ગામના રહેવાસી સુર્યનારાયણ ભગતના અપહરણ અને હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે સાક્ષી રજૂ ના કરતા આરોપી થયો દોષમુક્ત
શરૂઆતમાં સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી. પછી વિક્ષેપ પડ્યો. અંતમાં અધિક જિલ્લા અને સેશન્સ જજ - 5ની કોર્ટમાં જ્યારે કેસ ટ્રાન્સફર થઇને પહોંચ્યો તો કોર્ટે કેસને ગંભીરતાથી લીધો. જેની સુનાવણી ઝડપથી થઇ. કોર્ટની સામે પોલીસ કોઈ સાક્ષી રાખી શકી નહીં. આખરે આરોપીને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યો. કાગળની કાર્યવાહી પૂર્ણ થયા બાદ શુક્રવારે બીરબલ જેલમાંથી છૂટી ગયો. બીરબલ ભગતની પોલીસે જ્યારે ધરપકડ કરી હતી. ત્યારે તેની ઉંમર 28 વર્ષ હતી. આજે 56 વર્ષ બાદ જેલમાંથી મુક્ત થયો.