સીબીએસઈએ સીટીઈટી રિઝલ્ટ ctet.nic.in પર જાહેર કરી દીધું છે. પરીક્ષાર્થીઓ સત્તાવાર વેબસાઈટ પર જઈને આ રિઝલ્ટ ચેક કરી શકે છે.
સેન્ટ્રલ બોર્ડમાં શિક્ષક ભરતીની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર
ઉમેદવારો વેબસાઈટ પર જઈને ચેક કરી શકશે પરિણામ
આટલા ઉમેદવારો થયા છે પાસ
સીબીએસઈએ સીટીઈટી રિઝલ્ટ ctet.nic.in પર જાહેર કરી દીધું છે. પરીક્ષાર્થીઓ ctet.nic.in પર જઈને રિઝલ્ટ ચેક કરી શકે છે. પરીક્ષાર્થી ctet.nic.in પર જઈને રિઝલ્ટ ચેક કરી શકે છે. સીટીઈટી પેપર-1માં 1892276 અભ્યર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 14,95,511 ઉમેદવારોએ પરીક્ષામાં ભાગ લીધો હતો. કુલ 4,45,467 પાસ થયા છે. તો વળી પેપર- 2માં 16,62,886 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 12,78,165 ઉમેદવારોએ ભાગ લીધો હતો. તેમાંથી 2,20,069 ઉમેદવારો પાસ થયા છે.
CBSEએ કહ્યું કે, વિદ્યાર્થીઓની માર્કશીટ અને ક્વાલિફાઈંગ સર્ટિફિકેટ ટૂંક સમયમાં ડિજિલોકર પર અપલોડ કરી દેવામાં આવશે. પરીક્ષાર્થી પોતાના મોબાઈલ નંબર દ્વારા તેને ડાઉનલોડ કરી શકશે.
સીટીઈટી પરીક્ષા 16 ડિસેમ્બર, 2021થી 21 જાન્યુઆરી, 2022 સુધી સમગ્ર ભારતના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર આયોજીત કરવામાં આવી હતી. 1 ફેબ્રુઆરી, 2022ના રોજ બોર્ડે આંસર કી જાહેર કરી હતી.
સર્ટિફિકેટ ડિજિટલ ફોર્મેટમાં હશે
CBSE બોર્ડ ટૂંક સમયમાં જ સીટીઈટીની માર્કશીટ અને સફળ ઉમેદવારો માટે સર્ટિફિકેટ ડિજિટલ ફોર્મેટમાં તેમને ડિજિલોકર અકાઉન્ટમાં અપલોડ કરશે. માર્કશિટ અને સર્ટિફિકેટ ડિજિટલ રીતે હસ્તાક્ષરિત હશે અને કાયદાકીય રીતે તે માન્ય હશે. સુરક્ષા વધારવા માટે માર્કશિટ અને સર્ટિફિકેટમાં એક એન્ક્રિપ્ટેડ QR કોડ પણ હશે, ડિજિલોકર મોબાઈલ એપનો ઉપયોગ કરીને ક્યૂઆર કોડને સ્કૈન અને વેરિફાઈ કરી શકાશે.
સીટેટ પેપર- 1 સફળ ઉમેદવારો ફર્સ્ટ ક્લાસથી લઈને 5માં ધોરણ સુધી થનારી ટીચર ભરતી માટે યોગ્ય માનવામાં આવશે. જ્યારે પેપર- 2માં સફળ વિદ્યાર્થીઓ ધોરણ 6થી 8 સુધી થનારી શિક્ષક ભરતી માટે યોગ્ય માનવામાં આવશે.
સીબીએસઈ દ્વારા સીટીઈટીની પરીક્ષા વર્ષમાં બે વાર આયોજીત કરવામાં આવે છે. આ પરીક્ષાને પાસ કરનારા પરીક્ષાર્થીઓ દેશભરમાં કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય અને આર્મી સ્કૂલોમાં શિક્ષકના પદ પર નિમણૂંક માટે અરજી કરી શકે છે.