દુનિયામાં ત્રાસ વર્તાવનારા કોરોનાને રોકવા માટે CSMCRIના વૈજ્ઞાનિકોએ એક અસરકારક ઉપાય શોધ્યો છે. સેન્ટ્રલ સોલ્ટ અને મરિન કેમિકલ રિસર્ચ ઈન્ટિટ્યુટ ભાવનગર, ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ એવું ફેસ માસ્ક તૈયાર કર્યુ છે કે જેના સંપર્કમાં આવતા જ કોરોના વાયરસ જાતે જ ખતમ થઈ જાય છે.
CSMCRIના વૈજ્ઞાનિકોએ બનાવ્યુ અનોખુ સુરક્ષિત માસ્ક
આ માસ્કના સંપર્કમાં આવતા જ કોરોના વાયરસ ખતમ થઈ જાય છે
ડોક્ટરો તથા સ્વાસ્થ્યકર્મીઓને તે કોરોનાથી રક્ષણ આપશે
ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે સંશોધિત પોલીસલ્ફોન મટેરિયલથી તૈયાર કરવામાં આવેલા માસ્કની બહારના છિદ્રયુક્ત પડ વિશેષ સમાગ્રીથી તૈયાર કરવામાં આવ્યુ છે. જેમાં અલગ અલગ પડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ 150 માઈક્રમીટર મોટા છે.
આ માસ્ક 60 નૈનોમીટર અથવા તેનાથી વધારે કોઈ પણ વાયરસને ખતમ કરી શકે છે. એવામાં 80થી 120 નૈનોમીટરના કોરોના વાયરસને ખતમ થવાનો અંદાજો લગાવી શકાય છે. હાલમાં તેની મેડિકલ અપ્રુવલની રાહ જોવાઈ રહી છે.
આ ડૉક્ટર, સ્વાસ્થ્યકર્મીઓ તથા કર્મચારિઓના ઓક્સિઝન સમાન હશે. તેમને આ બિમારીના ખતરાથી બચવામાં મદદ મળશે. સાથે સાથે તેમને આ માસ્ક ધોવામાં સરળતા રહેશે. તેમજ તેને ફરી ઉપયોગમાં લઈ શકાશે. ત્યારે સંક્રમણવાળા માસ્કને ડિસ્પોઝ કરવાની ચિંતા નહીં રહે. આની કિંમત 50 રુ. સુધી હશે.
આ અનેક રીતે બજારમાં ઉપલબ્ધ માસ્ક કરતા સારુ હશે. કેમકે તેનું બહારનું પડ ફંગલ અને બેક્ટેરિયા સામે લડવામાં સક્ષમ છે. N-95 માસ્કથી અનેક ગણુ સારુ સાબિત થશે.
CSMCRIના સાયન્સ અને અલગ ટેક્નિકલ વિભાગના પ્રમુખ ડૉ. વીકે શાહીએ જણાવ્યું થે કે કોઈ પણ રીતે N-95 માસ્કથી ઘણુ સારુ સાબિત થશે. આને એક અઠવાડિયાની મહેનત પછી તૈયાર કરવામાં આવ્યું છે. આને વૈજ્ઞાનિક મંજુરી મળતાની સાથે વિધિવત રીતે ઉપયોગમાં લાવવામાં આવશે. કેમ કે બહારના આવરણનાં અલગ અલગ પ્રકાર ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ સહિતના સ્વાસ્થ્યકર્મીઓને કોરોનાથી બચાવવામાં મદદરુપ સાબિત થશે.