દેશમાં એપ્રિલ અને મે મહિનામાં કોરોના સંક્રમણના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. જો કે, તાજેતરમાં થયેલ એક સંશોધન પ્રમાણે, AB અને B બ્લડ ગ્રુપના લોકો કોરોનાથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે.
ભારતમાં કોરોનાની બીજી લહેરે વધારી ચિંતા
2 બ્લડ ગ્રુપ ધરાવતા લોકોને ઇન્ફેક્શનનો ખતરો વધુ
CSIRના રિપોર્ટમાં થયો ખુલાસો
ઉલ્લેખનીય છે કે, આ રિસર્ચ CSIR દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો છે. કે 2 બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોના થવાનો ખતરો વધી જાય છે.
CSIRના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
CSIRના આ સર્વે અંગે સિનિયર ફિઝિશિયન ડો.એસ.કે. કાલરા કહે છે, 'આ સર્વેનો માત્ર એક નમૂના છે. ત્યાં કોઈ વૈજ્ઞાનિક સંશોધન પેપર નથી જેની સમીક્ષા કરવામાં આવી છે. તેથી વૈજ્ઞાનિક સમજ વિના વિવિધ બ્લડ ગ્રુપના લોકોમાં સંક્રમણનો દર કેવી રીતે નક્કી કરી શકાય છે. ઓ બ્લડ ગ્રુપ લોકોમાં સંક્રમણ સામે લડવાની ઉત્તમ ઇમ્યુનિટી હોય છે, તેવું કહેવું ખૂબ જ વહેલું છે. તેથી, આ માટે મોટા પાયે સર્વે થવો જોઈએ.
AB બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં વધુ સંક્રમણનો ભય
સર્વેમાં સામે આવ્યું કે, કોરોના સંક્રમિત થનાર લોકોમાં સૌથી વધુ લોકો AB ગ્રુપવાળા છે. ત્યારબાદ કોરોના સંક્રમિત થનાર લોકોમાં બીજો નંબર B બ્લડ ગ્રુપનો છે.
નોનવેજીટેરિયન લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ
આ સીએસઆઈઆર રિપોર્ટ, દેશવ્યાપી ઝીરોપોઝિટિવ સર્વે પર આધારિત છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે શાકાહારીઓ કરતાં માંસાહારી લોકોને કોવિડ -19 નું વધુ જોખમ છે. આ સંશોધન દેશભરના લગભગ 10 હજાર લોકોના નમૂના પર આધારિત છે. તેમનું વિશ્લેષણ કરવા પર, 140 ડોકટરોની ટીમે જાણવા મળ્યું કે શાકાહારી ખોરાક વધારે ફાયબરને કારણે શાકાહારીઓમાં સંક્રમણ ઘટી રહ્યું છે.
ભારતમાં સતત ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કે રોજ સામે આવનારા નવા મામલામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં 3.29 લાખ નવા મામલા સામે આવ્યા છે. ગત દિવસોની સરખામણીએ લગભગ 37 હજાર ઓછા છે.
અત્યાર સુધીમાં 2, 50, 025 લોકોના મોત થયા
ઉલ્લેખનીય છે કે 3,29,379 દર્દીની સાથે ભારતમાં અત્યાર સુધી કુલ મામલા 2,29,91,927 થઈ ચૂક્યા છે. કોરોનાના નવા મામલામાં ઘટાડા ઉપરાંત એક્ટિવ કેસમાં ઘટાડો રાહત આપનારો છે. દેશમાં ગત 24 કલાકમાં 3, 55745 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1, 90,21, 207 દર્દી સાજા થયા છે. આ ઉપરાંત અત્યાર સુધીના મોતના આંકડામાં ઘટાડો નોંધાયો છે. ગત 24 કલાકમાં 3877 દર્દીના જીવ ગયા છે. આ સાથે અત્યાર સુધીમાં 2, 50, 025 લોકોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં 30 માર્ચ બાદ સૌથી ઓછા કેસ
રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર મહારાષ્ટ્રમાંસ સોમવારે કોરોના વાયરસના 37, 236 નવા મામલા સામે આવ્યા છે. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,38,973 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં 5, 90,818 એક્ટિવ કેસ છે. જેમની સારવાર ચાલી રહી છે. 549 લોકોના મોત બાદ કુલ મોતનો આંકડો વધીને 76398 થઈ ગયો છે. અત્યાર સુધી કુલ સાજા થનારા દર્દીની વાત કરીએ તો આ સંખ્યા 44,69,425 થઈ ગઈ છે. ગત એક દિવસમાં 61, 607 લોકો સાજા થઈ ચૂક્યા છે.