દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસનો આંકડો લગભગ 2 લાખની નજીક પહોંચી ચૂક્યો છે. કોરોના વાયરસને ખતમ કરવાની દિશામાં ટેસ્ટિંગ મહત્વપૂર્ણ છે, જોકે ભારતમાં જરૂરિયાતના હિસાબે થઇ રહી નથી. એવામાં CSIR એટલે કે કાઉન્સિલ ઓફ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચે એક ટેસ્ટિંગ કિટ વિકસિત કરી છે, જે ટેસ્ટિંગ ક્ષેત્રમાં મોટી રાહત આપી શકે છે.
દેશમાં કોરોના વાયરસનો આંકડો લગભગ 2 લાખની નજીક પહોંચી ચૂક્યો
આ ટેસ્ટિંગ કિટ કાઉન્સિલ ઓફ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચે વિકસિત કરી છે
સીએસઆઇઆરની આ નવી ટેસ્ટિંગ કિટથી એક સાથે ઓછામાં ઓછા 50000 સુધીની મોટી સંખ્યામાં કોરોના વાયરસના ટેસ્ટ દોઢથી બે દિવસોમાં કરી શકાશે. ત્યારે આ ટેસ્ટ કિટ બીજા માધ્યમોથી વધારે સસ્તી પણ હશે.
હૈદરાબાદના સેન્ટર ફોર સેલુલર એન્ડ મોલિક્યૂલર બાયોલૉજીની લેબે નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ ટેક્નોલોજીની મદદથી આ શોધમાં સફળતા મેળવી છે. આ ટેસ્ટની ટેકનીકને અંતિમ રૂપ આપવાને લઇને હૈદરાબાદના સેન્ટર ફોર સેલુલર એન્ડ મોલિક્યૂલર બાયોલોજીએ બેંગલુરુની એક કંપની સિન્જિનથી હાથ મિલાવ્યો છે જેનાથી લોગિસ્ટિક મદદ મળશે. બતાવાઇ રહ્યું છે કે 2-4 સપ્તાહમાં આ ટેકનીક રેગ્યુલેટરના એપ્રુઅલ માટે લાવવામાં આવશે.
CSIRના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર શેખર માન્ડે જણાવ્યું કે સંસ્થાએ કોરોનાની તપાસ માટે બે ટેસ્ટિંગ કિટ તૈયાર કરી લીધી છે. તેઓએ કહ્યું કે આ ટેસ્ટિંગ કિટ RT PCR (Reverse transcription polymerase chain reaction) થી વધારે સસ્તી છે. તેઓએ કહ્યું કે સીએસઆઇઆરના દિલ્હી સ્થિત આઇજીઆઇબી (Institute of Genomics and Integrative Biology) એ ફેલૂદા કિટ તૈયાર કરી છે. ટાટા સન્સ. કંપની તેને મેન્યૂફેક્ચરિંગ કરી રહી છે. તેના માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સાથે એક એમઓયુ પર સાઇન થયા છે. RT LAMP ને જમ્મૂની લેબ દ્વારા બનાવાઇ છે. ડૉક્ટર માન્ડે જણાવ્યું કે હવે આ રેગ્યુલેટરની પાસે અપ્રુવલ માટે આવશે, ત્યારબાદ તેને ફીલ્ડમાં લાવવામાં આવશે.
500-600 રૂપિયા સુધીમાં થઇ જશે ટેસ્ટિંગ
CSIRની આ ટેસ્ટિંગ કિટ ઘણી સસ્તી પણ છે. તેઓએ જણાવ્યું કે બંને કિટથી 500 રૂપિયા સુધીમાં ટેસ્ટ શક્ય બની શકશે અને RT PCRથી જલ્દી થઇ જશે. એક ટેસ્ટ કરાવામાં 500-600 રૂપિયા લાગશે અને 10,000થી 50,000 ટેસ્ટ કરવામાં સેમ્પલથી લઇને પરિણામ બતાવવા સુધીમાં 30-35 કલાક લાગશે. તેનો અર્થ એ થયો તેમા કે દોઢથી બે દિવસ લાગશે. તેઓએ કહ્યું કે કોશિશ કરાઇ રહી છે કે એક સાથે 50,000 સેમ્પલ લેવાઇ શકાશે. તેઓએ કહ્યું કે આ ઉપરાંત અમારે જો એક સાથે 50,000 સેમ્પલ પણ લેવાના હોય તો તેની કોશિશ ચાલી રહી છે. હૈદરાબાદ સ્થિત સીસીએમબી તેના પર કામ કરી રહી છે.
તેઓેએ કહ્યું કે સિક્વેન્સિંગ દ્વારા આ શક્ય બની શકે છે. તેનો ઉપયોગ એવી કોઇ જગ્યાએ કરી શકાય છે, જાણે કોઇ શહેરમાં ક્યાંય કોરોના આઉટબ્રેક થઇ રહ્યો હોય. ત્યાં તેની ઉપયોગ કરી શકાશે.
એક સાથે 50,000 ટેસ્ટિંગ માટે બની રહી છે સ્ટ્રેટેજી
ડૉ માન્ડેએ કહ્યું કે એક સ્ટ્રેટેજી બનાવામાં આવી રહી છે કે જો ટેસ્ટિંગ ખુબજ મોટા સ્તરે કરવી હોય, એક સાથે જો 50,000 સેમ્પલ લેવાના હોય તો તેના માટે તમામ સેમ્પલને એકઠા કરીને દરેક સેમ્પલને આપણે એક ટેગ લગાવીએ છીએ જેને બારકોડિંગ કહીએ છીએ અને બાદમાં તેનું સિક્વેન્સિંગ કરીએ તેના પ્રયાસ ચાલી રહ્યા છે.
ટેસ્ટિંગ પ્રક્રિયાની જાણકારી આપતા સીએઆઇઆર-સીસીએમબીના ડાયરેક્ટર ડૉ રાકેશ મિશ્રાએ જણાવ્યુ, અમે એક પ્લેટ લઇએ છીએ જેમા ઘણા બધા બેલ્સ હોય છે. તેમા અમે બાર કોડેડ ઓલેગોજ નાંખીએ છીએ અને સેમ્પલની શરૂની પ્રોસેસિંગ તેમા હોય છે એક સેમ્પલ એક વેલમાં. બારકોડિંગને કારણે સેમ્પલ પણ કોડ થઇ જાય છે. ત્યારબાદ સેમ્પલને મિક્સ કરીને લેબમાં લાવવામાં આવશે. જ્યાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગનો ઉપયોગ કરીને આ સેમ્પલનું સિક્વેન્સ કરીશું. કોરોનાના વધતા કેસની વચ્ચે આ પ્રકારની ટેકનીક ખુબજ મદદગાર સાબિત થશે.