સુરતની ઘટના બાદ કુંભકર્ણની નિંદ્રામાં સુતેલુ તંત્ર સફાળુ જાગ્યું હતું અને કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી મુદ્દે મુખ્યસચિવ જેએન સિઘે જણાવ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી કુલ 5400થી વધારે નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. સરકારી ધારા-ધોરણોનું પાલન ના કરનારા એકમોને નોટિસ આપવામાં આવી છે. 1645 શૈક્ષણિક ઇન્સ્ટીટ્યુટને નોટિસ અપાઈ છે. રાજ્યમાં અલગ-અલગ ટીમ બનાવી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ટ્યુશન ક્લાસિસ ચલાવનારની ધરપકડ કરવામાં આવી છે. ટૂંક સમયમાં કોમ્પલેક્સના માલિકોની પણ ધરપકડ કરવામાં આવશે. આ ઉપરાંત ફાયરના બે ઉચ્ચ અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.