સંજીવ સાન્યાલે કહ્યું કે, નાણાકીય સ્થિરતાને લઈને કેટલીક સમસ્યાઓ છે. પરંતુ કેટલીક અન્ય દલીલો છે જે નવીનતા અંગે છે. તે સ્પષ્ટ છે કે, ક્રિપ્ટોકરન્સીના મામલે મક્કમ વલણ અપનાવવામાં આવશે.
કેન્દ્રીય નાણાંમંત્રી સંસદમાં આજે બજેટ રજૂ કરશે
ક્રિપ્ટોકરન્સી પર લોકોની નજર
સરકાર લાવી શકે સંતુલિત અભિપ્રાય
દેશમાં ક્રિપ્ટોકરન્સીમાં મોટું રોકાણ
Cryptocurrency has some financial stability issues, government will take balanced view: Principal Economic Advisor
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારમણ આજે બજેટ રજૂ કરશે
આ અગાઉ ગઈકાલે તેમણે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. જેમાં ક્રિપ્ટોકરન્સીને લઇને કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી. જેથી મુખ્ય આર્થિક સલાહકારે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરકાર બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સીને રેગ્યુલેટ કરવા સંતુલિત વલણ અપનાવશે. ક્રિપ્ટોકરન્સીની મોટી અસર દેશની નાણાકીય સ્થિરતા પર જોવાઈ શકે છે. જેથી સરકાર આને લઇને પગલું ભરી શકે છે. અત્યારે દેશમાં ક્રિપ્ટોકરન્સી પર કોઈ પ્રકારના પ્રતિબંધ નથી અને સરકારે આને રેગ્યુલેટ પણ કર્યું નથી.
દેશની નાણાકીય સ્થિરતા પર ક્રિપ્ટોકરન્સીની મોટી અસર
ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં મોટી માત્રામાં રોકાણ કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં રાખીને લાંબા સમયથી માગ કરવામાં આવી રહી છે કે, સરકાર પોતાનું વલણ સ્પષ્ટ કરે. ચોમાસૂ સત્રમાં આશા હતી કે, સરકાર ક્રિપ્ટોકરન્સી માટે અમૂક નિયમો અંગે જાહેરાત કરશે, પરંતુ એવું થયું નથી. હવે રોકાણકારો બજેટ સત્ર પર મીટ માંડીને બેઠા છે.
તમામ મોરચે ઈકોનોમી કોરોના કાળ પહેલાના સમય પર પહોંચી
કેન્દ્ર સરકારના મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સન્યાલે ઈકોનોમિક સર્વે પર જણાવ્યું કે દેશમાં હવે આર્થિક ગતિવિધિઓ કોરોનાકાળ પહેલાના સમય કરતા પણ વધારે સારી બની છે. તેમણે લગભગ 10 વર્ષ પહેલાની તસવીરોની સાથે તુલના કરીને જણાવ્યું કે આજે ભારતની શું સ્થિતિ છે.
દેશમાં 636 અબજ ડોલરનો મજબૂત વિદેશી હૂંડિયામણનો ભંડાર છે. સંજીવ સાન્યાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આર્થિક સર્વેક્ષણમાં બે વોલ્યુમ હશે. પ્રથમ વોલ્યુમ અમે રજૂ કર્યું છે અને બીજું વોલ્યુમ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. બીજો ગ્રંથ સ્ટેટિસ્ટિકલ પરિશિષ્ટ હશે. નવો ડેટા ઉમેર્યા પછી જૂનો ડેટા કાઢી નાખવામાં આવ્યો છે. તેમાં ઉચ્ચ આવર્તન સૂચકાંકોનો એક વિભાગ પણ હશે. ગયા વર્ષે અર્થતંત્રમાં 7.3 ટકાના ઘટાડા બાદ આ વર્ષે અર્થતંત્રમાં 9.2 ટકાનો વધારો થવાનો અંદાજ છે
કૃષિ ક્ષેત્રે તાકાત બતાવી, લોકડાઉનમાં કૃષિ ક્ષેત્રને ખૂબ ઓછી અસર થઈ
તેમણે કહ્યું કે કૃષિ ક્ષેત્રમાં 2020-21માં અને ફરી 2021-22માં પણ વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે કૃષિ ક્ષેત્રમાં આશરે 4 ટકાના દરે વૃદ્ધિ થઈ હતી. લોકડાઉનથી સર્વિસ સેક્ટરને સૌથી વધુ અસર થઈ હતી. હવે આ ક્ષેત્ર રોગચાળા પહેલાના સ્તરથી થોડું નીચે છે.