રો-રો ફેરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ માટે ક્રુઝ શરૂ કરવામાં આવ્યા બાદ મોદી સરકારે સુરતના હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાનો પ્રારંભ કર્યો છે.
હજીરાથી દીવ વચ્ચે ક્રુઝ સેવાનો પ્રારંભ
મનસુખ માંડવિયાએ વર્ચ્યૂઅલી કરાવી શરૂઆત
અઠવાડિયામાં બે ફેરા કરશે ક્રુઝ
ઉલ્લેખનીય છે કે, સુરતનાં હજીરા પોર્ટથી દીવ વચ્ચે ‘ક્રુઝ’ સેવાની શરૂઆત કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ અને વોટરવેઝ મંત્રી મનસુખ માંડવિયાના વર્ચ્યુઅલી કરાવી હતી.
13 થી 14 કલાકની હશે મુસાફરી
આ ક્રુઝ દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરાથી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે જ દિવસે સાંજે દીવથી ઉપડીને તેના પછીના દિવસે સવારે હજીરા પરત ફરશે. એક બાજુની મુસાફરી માટે અંદાજે 13 થી 14 કલાકનો સમય લાગશે.
અઠવાડિયામાં બે ફેરા કરશે ક્રુઝ
300 પેસેન્જરની કેપેસીટી ધરાવતા આ ક્રુઝમાં 16 જેટલી કેબીન પણ આવેલી છે. આ ક્રુઝ અઠવાડીયામાં દીવની બે રાઉન્ડ ટ્રીપ કરશે, તથા શુક્રવાર, શનિવાર અને રવિવારનાં દિવસે સુરત હાઇ-સીમાં મુસાફરી કરાવશે.
4 મહિના બાદ સુરતવાસીઓને મળી વધુ એક ભેટ
આપને જણાવી દઇએ કે, ચાર માસ પૂર્વે જ પ્રધાનમંત્રીનાં હસ્તે ‘હજીરા-ધોધા’ રો-પેક્સ સેવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે. માત્ર 4 માસમાં 1 લાખથી વધુ પેસેન્જર્સ તથા હજ્જારો વાહનો દ્વારા આ સેવાનો લાભ લીધેલ છે. આ સેવાની ભવ્ય સફળતા બાદ હજીરાથી દીવ માટેનાં ક્રુઝ સેવાની શરૂઆત થવાની છે.