જમ્મૂ અને કાશ્મીરમાં પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ જોવા મળી છે. પુલવામાના બાંદજૂ વિસ્તારમાં જોવા મળેલી અથડામણમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યાં છે. જો કે આ અથડામણમાં ભારતના CRPFના એક જવાન પણ શહીદ થયા છે. આ વિસ્તારમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જમ્મૂ કશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે ઘર્ષણ
પુલવામામાં 2 આતંકવાદી ઠાર મરાયા
આતંકી સાથેની અથડામણમાં 1 જવાન શહીદ
કાશ્મીર ઝોનના IG વિજય કુમારે જણાવ્યું કે અથડામણમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ ઠાર મરાયાં છે. આ અગાઉ રિપોર્ટ અનુસાર પોલીસ, સેના અને CRPFની એક સંયુક્ત ટીમ દ્વારા બાંદજૂ વિસ્તારમાં સર્ચ ઓપરશેન હાથ શરૂ કરવામાં આવ્યું હતુ. જેવું સુરક્ષાબળોએ શંકાસ્પદ વિસ્તારનો ઘેરાવ કર્યો કે આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું.
J&K: Encounter underway in Bandzoo area of Pulwama. Police&security forces are on the job. 1 CRPF personnel who had sustained bullet injury in encounter&was evacuated to a hospital succumbed to his injuries. Two terrorists eliminated so far. (Visuals deferred by unspecified time) pic.twitter.com/yHXWXnxbRJ
જમ્મૂ કશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે ઘર્ષણ થયું છે. પુલવામાં સેનાના જવાનોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જ્યારે આતંકી અથડામણમાં એક જવાન શહીદ થયા છે.
પુલવામાના બાંદજૂ વિસ્તારમાં અથડામણ થયું છે. આ સમગ્ર વિસ્તારમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. કાશ્મીર ઝોનના IG વિજયકુમારે કહ્યું હતું કે અથડામણમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા છે. પોલીસ, સેના અને CRPFની એક ટીમ દ્વારા સંયુક્ત ટીમ બાંદજૂમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.