જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ સીઆરપીએફ દ્વારા કાશ્મીરમાં જવાનોના કાફિલાની આવન-જાવન માટે નવા નિયમો જોડવાનો નિર્ણય લીધો છે.
અર્ધ સૈનિકના દળના પ્રમુખના જણાવ્યા અુનસાર સીઆરપીએફ દ્વારા પુલવામામાં જવાનોના વાહનને વિસ્ફોટક ભરેલા વાહનથી ઉડાવી દેવાના આ નવા પ્રકારના ખતરાને ધ્યાનમાં લઇને પોતાના એસઓપીએસમાં સુધાર કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. સીઆરપીએફના મહાનિદેશક આર આર ભટનાગર 14 ફેબ્રુઆરીમા કરાયેલા હુમલા બાદ બે દિવસીય જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોચ્યાં છે.
સીઆરપીએફના મહાનિદેશકના જણાવ્યા અનુસાર અમે કાશ્મીરમાં અમારા કાફિલાની આવન-જાવનમાં નવા નિયમ જોડવાનો નિર્ણય કર્યો છે. ટ્રાફિક નિયંત્રણની સાથે કોનવોય પસાર થવાના સમયે તેમના રોકાવાના સ્થાન પર સેના અને જમ્મૂ-કાશ્મીર પોલીસ સહિત સુરક્ષા દળોની સાથે સમન્વય તેમજ આવવા-જવામાં બદલવા કરવામાં આવશે.
મહાનિદેશકના જણાવ્યા અનુસાર પુલવામાના લાટૂમોડના હુમલા બાદ બે કોનવોય પસાર કરવામાં આવ્યા જેમાં આ નવા પગલાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેને એસઓપીએસ હેઠળ લાગુ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પુલવામામાં આતંકી હુમલા બાદ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે ઘાટીની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળોનું કોનવોય પસાર થવાના સમયે નાગરિકના વાહનની અવરજવરને રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજનાથસિંહે જણાવ્યું હતું કે કાશ્મીરમાં જ્યારે પણ જવાનોનો કોનવોય કોઇપણ રસ્તેથી પસાર થશે ત્યારે સ્થાનિક લોકોની આવન-જાવન પર રોક લગાવી દેવામાં આવશે.
જેના કારણે સ્થાનિક લોકોને થોડી મુસીબતનો સામનો કરવો પડશે જેના માટે હું માફી માગુ છું. સીઆરપીએફના મહાનિદેશકે કહ્યું કે એક આત્મઘાતી હુમલાવર અમારા વાહનની નજીક આવે છે અને વિસ્ફોટથી ઉડાવી દે છે. આ નવા ખતરાને ધ્યાનમાં લઇને રણનીતિઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.