દેશમાં કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે હવે સંક્રમણથી સેના અને પેરામિલિટ્રી ફોર્સના જવાનો પણ સુરક્ષિત નથી. પૂર્વી દિલ્હીમાં શનિવારે સીઆરપીએફની 31મી બટાલિયન સાથે જોડાયેલા 68 વધુ જવાનોનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે હવે આ બટાલિયનના કુલ 122 લોકો સંક્રમિત થયા છે.
દેશમાં સીઆરપીએફના કુલ 127 જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે
CRPFની 31મી બટાલિયનના 68 વધુ જવાનોનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો
જ્યારે દેશમાં સીઆરપીએફના કુલ 127 જવાન કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમાંથી એક જવાનનું મોત પણ થઇ ચૂક્યું છે, જ્યારે અન્ય એક ઠીક થયો છે. હજુ 100 અન્ય જવાનોની ટેસ્ટ રિપોર્ટ આવવાની બાકી છે.
સૌથી ચોંકવાનારી વાત છે કે સંક્રમણના આ તમામ કેસ બે સપ્તાહની અંદર આવ્યા છે. 31મી બટાલિયન હાલ દિલ્હીના મયૂર વિહાર ફેઝ-3માં તહેનાત છે. બટાલિયનમાં તહેનાત આસામના એક જવાન આ સપ્તાહે દિલ્હીનું સફદરજંગ હોસ્પિટલમાં મોત થઇ ગયું હતુ. ત્યારબાદ સ્વાસ્થ્ય કર્મચારીઓએ જવાનોની ટેસ્ટિંગની રેન્જ વધારી દીધી હતી. મોટી સંખ્યામાં સંક્રમણના કેસ મળ્યા બાદ બટાલિયનને પહેલા જ સીલ કરવામાં આવી ચૂકી છે. શુક્રવારે અહીંથી સંક્રમણના 12 નવા કેસ આવ્યા હતા. જ્યારે બે દિવસ પહેલા કુલ 45ની રિપોર્ટ પોઝિટિવ આવી હતી. આજે પણ 68 નવા કેસ નોંધવામાં આવ્યા છે.
માનવામાં આવી રહ્યું છે કે આ જવાનોને સીઆરપીએફની જ પેરામેડિક યૂનિટની એક નર્સિંગ આસિસ્ટેન્ટથી સંક્રમણ ફેલાયું. નર્સિંગ આસિસ્ટેન્ટનો 21 એપ્રિલે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ દિલ્હીની રાજીવ ગાંધી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
સીઆરપીએફની 31મી બટાલિયનમાં લગભગ 1000 જવાન છે. એકજ બટાલિયનથી આટલા કેસ આવવા ગૃહ મંત્રાલય માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. સીઆરપીએફે કહ્યું કે તમામ કંપનીઓના જવાનોની સુરક્ષા માટે સેનિટાઇજર મશીન લગાવવું જરૂરી છે.