સી.આર.પાટીલે પ્રદેશ પ્રમુખ બન્યા બાદ આજે બીજી વખત દિલ્હીની મુલાકાત લીધી. તેઓ ગુજરાતની રાજનીતીને લઈને વડાપ્રધાન સાથે ચર્ચા કરશે સાથેજ અગામી ચૂંટણીને લઈને પણ તેઓ રણનીતી ઘડી શકે છે
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી મુલાકાતે
હાઉસિંગ કમિટીની બેઠકમાં લેશે ભાગ
પ્રદેશ પ્રમુખ બન્યા બીજી વખત દિલ્હીની મુલાકાત
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે દિલ્હી પહોચ્યા છે. તેઓ ગઈકાલે સાંજે દિલ્હી માટે રવાના થયા હતા અને હવે બે દિવસ સુધી તેઓ દિલ્હીમાંજ રહેશે તેવી શક્યતા સેવાઈ રહી છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની આ મુલાકાત ઘણી મહત્વની છે. કારણકે તેઓ કેન્દ્રીય નેતૃત્વ સાથે પણ મુલાકાત કરી શકે છે.
હાઉસિંગ કમિટીની બેઠકમાં ભાગ લેશે
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ તેઓ બિજી વખત દિલ્હીની મુલાકાતે છે. આ પહેલા પણ તેઓ દિલ્હીની મુલાકાતે ગયા હતા. ખાસ હાઉસિંગ કમિટીની બેઠકમાં પણ તેઓ ભાગ લેવાના છે. જેથી જે લોકોને મકાન ફાળવણી બાકી છે તે પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખની આ દિલ્હી મુલાકાત ઘણી મહત્વની છે કારણકે તેઓ આગામી ચૂંટણીને લઈને રણનીતી ઘડી શકે છે.
વડાપ્રધાન સાથે ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા
ગુજરાતમાં 2022ની ચૂંટણીની તૈયારીઓ ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓ વચ્ચે આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી પહોચ્યા છે. જેથી તેઓ વડાપ્રધાન મોદી સાથે પણ ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરશે. ઉપરાંત તેઓ ચૂંટણીને લઈને રણનિતી પણ તૈયાર કરશે.
વારાણસીની મુલાકાત લેશે તેવી શક્યતા
સી.આર.પાટીલ બે દિવસ સુધી દિલ્હીમાંજ રહેશે આ દરમિયાન શક્યતા છે કે તેઓ વડાપ્રધાન પીએમ મોદીના સંસદીય વિસ્તાર વારાણસીની પણ મુલાકાત લેશે. બીજી તરફ તેઓ વડાપ્રધાન સાથે ગુજરાતની રાજકિય સ્થિતિને લઈને પણ બેઠક યોજી શકે છે, જે બેઠકમાં ચૂંટણીને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવશે.
કેવી રહેશે ભાજપની રણનીતી ?
ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં કોરોનાની સ્થિતીને લઈને સરકાર વિવાદોમાં ઘેરાઈ છે. સાથેજ મોંઘવારીને લઈને પણ લોકોમાં રોષનો માહોલ ફેલાયેલો છે. ત્યારે આવા સંજોગોમાં હવે આગામી ચૂંટણીને લઈને ભાજપ દ્નારા કેવી રણનિતી તૈયાર કરવામાં આવે છે તે જોવું રહ્યું.