પ્રધાનમંત્રી મોદીની જાહેરાત પ્રમાણે દેશભરમાં ઉત્તરાયણ પછી 16મી જાન્યુઆરીથી રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ જાશે, આ પહેલા તબક્કાના રસીકરણ અભિયાનમાં ફ્રંટલાઈન વર્કસ અને હેલ્થ વર્કસને સૌથી પહેલા રસી આપવામાં આવશે. પહેલા તબક્કામાં 3 કરોડ હેલ્થ અને ફ્રન્ટલાઇન વર્કસ સામેલ છે.
કોરોના સંકટ વચ્ચે યોજાશે કુંભ મેળો
ઉત્તરાખંડના હરિદ્વારમાં યોજાશે મેળો
લાખો શ્રદ્ધાળુઓ થઈ શકે છે સામેલ
આ વખતે ઉત્તરાખંડના પવિત્ર શહેર હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતા 7 અઠવાડિયા દરમિયાન કેટલાય લાખ શ્રદ્ધાળુઓ મેળામાં પહોંચશે તેવી સંભાવના છે. હિન્દુ યાત્રાળુઓએ કોરોના વાયરસની સંભાવનાને અવગણીને કુંભ મેળાની શરૂઆત પહેલા બુધવારે પવિત્ર ગંગા નદીમાં ડૂબકી લીધી હતી. સામાન્ય રીતે કુંભ મેળા માં લાખો ભક્તો ઉપસ્થિત રહે છે. કુંભમેળાના આયોજક સિદ્ધાર્થ ચક્રપાણિએ કહ્યું કે 'કોરોના રોગચાળાની ચિંતા છે, પરંતુ અમે તમામ સાવચેતીઓ રાખી રહ્યા છીએ.'
અમને વિશ્વાસ છે કે માતા ગંગા બધાનું રક્ષણ કરશે : ચક્રપાણિ
ચક્રપાણિએ કહ્યું કે, "ગુરુવારે લગભગ 8 થી 10 લાખ ભક્તો આવશે. મને વિશ્વાસ છે કે માતા ગંગા દરેકનું રક્ષણ કરશે." હિન્દુ માન્યતાઓ અનુસાર, અમૃત કુંભના થોડા ટીપાં ભારતના ચાર પવિત્ર સ્થળો પર પડ્યાં, જ્યાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે મોટી સંખ્યામાં ભક્તોને આકર્ષિત કરે છે, તેને યુનેસ્કો દ્વારા 2017 માં સાંસ્કૃતિક વારસો જાહેર કરવામાં આવ્યું હતું. 2019 માં અલ્હાબાદમાં આયોજિત છેલ્લા કુંભમાં આશરે 5.5 કરોડ ભક્તો પહોંચ્યા હતા.આ વખતે હરિદ્વારમાં કુંભ મેળો યોજાઇ રહ્યો છે અને અહીં પણ લાખો લોકો પહોંચશે તેવી અપેક્ષા છે.
બુધવારે દુકાનદારોએ પણ નદી કિનારે પોતાની દુકાનોની સજાવટ કરી હતી. તે જ સમયે, ઘણા પરિવારો અહીં રોકાઈ રહ્યા છે. આમાંના મોટાભાગના લોકો કોરોના વાયરસની સંભાવનાથી અજાણ હતા. બીજી તરફ, કોલકાતાના ગંગાસાગરમાં યોજાનારા ધાર્મિક સમારોહમાં 15,000 લોકો પહોંચશે તેવી સંભાવના છે. ભારતમાં જીવન ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યું છે, પરંતુ નિષ્ણાતોએ કોરોના વાયરસની નવી લહેરથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે.
16મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે રસીકરણ અભિયાન
મહત્વનું છે કે 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના મહામારીને રોકવા રસીકરણનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે હાલમાં કોવિશિલ્ડ અને કોવાક્સિનની એમ બે રસીઓને મંજૂરી આપી છે. કોવિશિલ્ડ એ ક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની ભાગીદારીમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવી છે, જ્યારે કોવાક્સિનને ICMR ના સહયોગથી ભારત બાયોટેક દ્વારા વિકસાવવામાં આવી છે.